ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:34 PM, 6 March 2024
ADVERTISEMENT
આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીના દિવસે વિશેષ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ જોવા મળી રહ્યો છે. પ્રદોષ વ્રતની સાથે સાથે અન્ય દુર્લભ યોગ પણ બની રહ્યાો છે. આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધ યોગ જેવા શુભ યોગમાં મહાશિવરાત્રી ઊજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહ થયા હતા.
ADVERTISEMENT
મહાશિવરાત્રી જ્યોતિષ ઉપાય
શાસ્ત્રો અનુસાર આ વ્રત કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ તથા સો વાજપેય યજ્ઞ જેટલા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તમામ ગ્રહના ચાર ભાવમાં રહેવાથી કેદાર યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ગંગા સ્નાન તથા ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પંચાક્ષર સ્તોત્ર અને શિવ સહસ્ત્રનામ, મહા મૃત્યુંજય પાઠ કરવો તે શુભદાયી માનવામાં આવે છે.
પૂજા મુહૂર્ત
મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર સવારથી જ જળાભિષેક કરવામાં આવશે. મનોકામના પૂર્તિ માટે વિશેષ મુહૂર્તમાં પૂજા કરવામાં આવે તે લાભદાયી છે. 8 માર્ચના રોજ પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 06:25 વાગ્યાથી રાત્રે 09:28 વાગ્યા સુધી પૂજા કરવામાં આવશે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06:38 વાગ્યાથી 10:41 વાગ્યા સુધી, શિવ યોગ 9 માર્ચના રોજ સૂર્યોદયથી રાત્રે 12:46 વાગ્યા સુધી, સિદ્ધ યોગ 9 માર્ચના રોજ રાત્રે 12:46 વાગ્યાથી 08:32 વાગ્યા સુધી રહેશે. શ્રવણ નક્ષત્ર યોગ સવારે 10:41 વાગ્યા સુધી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રુદ્રાક્ષ પહેરતા હોય તો 8 ખાસ નિયમ ગોખી લેજો, શિવજી આપશે ચમત્કારીક ફળ
રાશિ અનુસાર શિવલિંગ પર કરો અભિષેક
મેષ- મધ અને સાકર
વૃષભ- દહી, દૂધ, ધી
મિથુન- બિલીપત્ર અને લાલ ફૂલ
કર્ક- દૂધ અને સફેદ કાપડ
સિંહ- મધ અને ગોળ
કન્યા- બિલીપત્ર અને મધ
તુલા- શેરડીનો રસ અને ઘી
વૃશ્વિક- લાલ ફૂલ અને ગંગા જળ
ધન- ચંદન અને પીળુ ફૂલ
મકર- બિલીપત્ર તથા ગંગાજળ
કુંભ- મલાઈ તથા મિશરી
મીન- મધ અને બોર
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો