બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Class 10 and Class 12 board exam schedule announced

BIG NEWS / ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ GSEBએ કર્યો જાહેર, જાણો તારીખો

Dinesh

Last Updated: 12:32 AM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ GSEBએ કર્યો જાહેર, ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે

  • ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 
  • ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે 
  • ધોરણ12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે


ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. GSEBએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે છે.

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
GSEBએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જુઓ સમગ્ર કાર્યક્રમ..

ધોરણ 10નું ટાઈમ ટેબલ

  • 14 માર્ચ- ગુજરાતી
  • 16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
  • 17 માર્ચ- બેઝિક ગણિત
  • 20 માર્ચ- વિજ્ઞાન
  • 23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
  • 25 માર્ચ- અંગ્રેજી
  • 27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
  • 28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર
ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તા.6થી 20 જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં  ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન  પ્રવાહના  ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) 2023 પરીક્ષા માટેની ઓન લાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર મુકવામાં આવેલ છે.

અગાઉ પણ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો 
અગાઉ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. JEE મેઇન્સ પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકે તેવો, તેમજ JEEના કારણે શાળાની પ્રિલિમ કસોટી ન આપી શકનાર વિદ્યાર્થીઓને તક અપાશે. તેમજ પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી જે તે વિષયની પરીક્ષા લેવામાં આવશે. 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી પરીક્ષા લેવાશે. JEE નાં કારણે પ્રિલીમ કસોટી ચૂકી જનાર વિદ્યાર્થીની ફરી પરીક્ષા આપી શકશે. 

JEE મેઇન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા.
JEE મેઇન્સ-ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ એકસાથે હોવાથી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતાં. શાળા કક્ષાએ લેવાતી પ્રિલીમ કસોટી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. NTA દ્વારા JEE મેઈન્સ પરીક્ષા 24થી 31 જાન્યુઆરીએ યોજવાનું આયોજન છે. યુનિટ ટેસ્ટ પણ 19 જાન્યુઆરીએ લેવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતાં. JEE મેઈન્સ આપવી કે પ્રીલીમ પરીક્ષા આપવી તેને લઈ વિદ્યાર્થીઓની ચિંતાનો પારો હાઈ થયો હતો. જે  ચિંતા હવે દૂર થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ