બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Hiralal
Last Updated: 05:14 PM, 5 December 2023
ચંદ્રયાન-3ને લઈને મોટા સમાચાર આવ્યા છે. હવે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલે કમાલ કરી છે. ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલે સફળતાપૂર્વક પોતાનું મિશન પૂર્ણ કરી પૃથ્વીની કક્ષામાં વાપસી કરી છે. ઈસરોએ આ અંગે માહિતી આપતાં કહ્યું કે એક અનોખા પ્રયોગમાં, ચંદ્રની પરિક્રમા કરી રહેલા ચંદ્રયાન -3 ના પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછો ફર્યો છે. ઇસરોએ આ સફળતાના ફાયદા પણ સમજાવ્યા છે. ઇસરોએ જણાવ્યું હતું કે પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછા લાવવાથી આગામી મિશનની યોજના બનાવવામાં મદદ મળશે. જો કે આ મોડ્યુલ માટે સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પૃથ્વીના નિરીક્ષણ માટે શેપ પેલોડનું વહન ચાલુ રાખવા માટે પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરીથી સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિશન યોજના મુકાબલો ટાળવા માટે તૈયાર કરવામાં આવી હતી. પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની સપાટી પર ક્રેશ થવા અથવા પ્રવેશતા અટકાવવાનું લક્ષ્ય પણ હતું. પૃથ્વીનો જીઓ (GEO) બેલ્ટ 36,000 કિમી પર છે અને તેની નીચેની ભ્રમણકક્ષામાં ભ્રમણ કરે છે.
પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની પરિક્રમા
હાલ પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે. પ્રોપલ્શન મોડ્યુલે 22 નવેમ્બરના રોજ 1.54 લાખ કિ.મી.ના અંતરે સ્થિત પ્રથમ પેરિજીને પાર કરી હતી. ઈસરોએ કહ્યું કે, ઓર્બિટ સ્ટે પીરિયડ 22 દિવસનો છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 3ના લોન્ચના થોડા દિવસ બાદ તેની સામે મોટો ખાડો પડી ગયો હતો. ચંદ્રની સપાટી પર ફરતું રોવર પ્રજ્ઞાન પોતાના સ્થાનથી આગળ આવેલા એક મોટા ખાડામાં આવી ગયું હતું. જોકે, તેણે તેને સુરક્ષિત પાર કરી લીધો હતો. રોવર પ્રજ્ઞાને ફરીથી રસ્તો બદલી નાખ્યો હતો. 27 ઓગસ્ટના રોજ રોવર 3 મીટર વ્યાસના ખાડામાં પોતાના સ્થાનથી 4 મીટર આગળ આવી ગયું હતું. ત્યારબાદ રોવરને રસ્તા પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો અને પછી તે સુરક્ષિત રીતે નવા માર્ગ પર આગળ વધ્યું હતું.
હાલમાં લેન્ડર અને રોવર એક્ટિવ નથી
ચંદ્ર પર હાલમાં લેન્ડર કે રોવર એક્ટિવ નથી. ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો અને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન પરનાં સાધનોનો ઉપયોગ કરીને પ્રયોગો કરવાનો હતો. ચંદ્રયાનને 14 જુલાઈએ એલવીએમ3-એમ4થી લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટના રોજ વિક્રમ લેન્ડરે ચંદ્ર પર લેન્ડીંગ કર્યું અને તેમાંથી રોવરને બહાર ગોઠવાયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir