બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Centre asks all states, UTs to increase genome sequencing
Hiralal
Last Updated: 08:24 PM, 20 December 2022
ચીન અને અમેરિકામાં કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એક ખાસ નિર્દેશ જારી કરીને તાબડતોબ એક કામ શરુ કરવાનું જણાવી દીધું છે. અત્યાર સુધી ભારતમાં કોરોના મંદ હતો અને મોતની સંખ્યા પણ લગભગ ઝીરો થવા આવી હતી ત્યારે હવે ફરી વાર કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવી દીધા છે.
Centre asks all states, UTs to increase genome sequencing of Covid-positive samples amid rise in cases in China, Japan, US: Official
— Press Trust of India (@PTI_News) December 20, 2022
તમામ રાજ્યો જિનોમ સિકવન્સિંગ વધારે
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એનસીડીસી અને આઈસીએમઆરને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગ પર ભાર મૂકવો પડશે. હાલ દેશમાં કોરોનાના વધુ કેસ નથી, મોતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફરી ફેલાઈ રહ્યો હોવાથી સરકાર પણ કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી.
Union Health Minister Dr Mansukh Mandaviya to hold a meeting with senior officials and experts on the COVID-19 situation in the country tomorrow: Sources pic.twitter.com/8CYmNaIHS8
— ANI (@ANI) December 20, 2022
સાવચેતી રાખો પણ ગભરાટ નહીં
રાજેશ ભૂષણે કહ્યું કે જો કોરોનાના નવા વેરિએન્ટની ઓળખ સમયસર કરવી હોય તો જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે નમૂનાઓ મોકલવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ જોવા જઈએ તો એક તરફ ભારત સરકાર તમામ રાજ્યોને સાવચેત રહેવાનું કહી રહી છે તો બીજી તરફ ગભરાવું નહીં તેવી સલાહ પણ આપી રહી છે.એન્ટી ટાસ્ક ફોર્સના મેમ્બર અને કોવિડ રસીકરણ અભિયાનના ચીફ એન.કે.અરોરાએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતે ચીનની પરિસ્થિતિ અંગે ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં માત્ર સાવચેતી રાખવાની જરૂર છે, ચિંતા કરવાની જરૂર નથી.
પાંચ દેશોમાં વધી રહ્યા છે કોરોના કેસ
ચીન, અમેરિકા, જાપાન, જર્મની અને બ્રાઝિલમાં કોરોના કેસ વધી રહ્યાં છે તેમાય ચીનની હાલત તો ખૂબ ખરાબ છે. ત્યાં કોરોનાના મહાવિસ્ફોટ થયો છે, સ્મશાનો પણ ખૂટી પડ્યાં તેટલા લોકો કોરોનાથી મરી રહ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir