બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / case of the death of friends in Riverfront and Viramgam, it has been revealed that the friend committed suicide by killing the friend.
Dinesh
Last Updated: 06:10 PM, 1 November 2023
Ahmedabad Murder Case : અમદાવાદ રિવરફ્રન્ટ પર મંગળવારે યુવકની ચકચારીત હત્યાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. રિવરફ્રન્ટ અને વિરમગામમાં થયેલી મિત્રોના મોત મામલે વિગતો સામે આવી છે કે, મિત્રએ જ મિત્રની હત્યા કરીને આપઘાત કર્યો હતો. સ્મિત ગોહિલે રવિન્દ્ર લુહારની હત્યા કરી હતી. રવિન્દ્રની હત્યા બાદ ફાયરિંગ કરીને પોતે જ આત્મહત્યા કરી હતી.
પકડાઈ જવાનો ડર
સમગ્ર ઘટના આમ છે કે, રવિન્દ્રની ફાયરિંગ અને છરીથી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. રવિન્દ્રને 8 લાખ આપવાના હતા જે મામલાને લઈ હત્યા કરી હતી. હત્યાબાદ સ્મિત ગોહિલ અને યશ રાઠોડ અમદાવાદ આવ્યા હતા. ત્યારે સ્મિત ગોહિલને પોતે ગુનામાં સામેલ હોવાથી પકડાઈ જવાનો ડર હતો, યશ પાસેથી હથિયાર લાવીને રિવરફ્રન્ટ પર પોતાને ગોળી મારી આપઘાત કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે હથિયાર કબજે કર્યું
સાબરમતી નદીમાંથી ક્રાઈમ બ્રાન્ચે હથિયાર કબજે કર્યું છે. તેમજ આરોપી યશ રાઠોડની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. વિરમગામમાં રવિન્દ્ર લુહારની સ્મિત ગોહિલ અને યશ રાઠોડે હત્યા કરી હતી. અત્રે જણાવીએ કે, બંને મૃતક અને યશ વર્ષોથી મિત્રો હતા. તેમજ બીજો મહત્વનો ખુલાસો થયો છે કે, મધ્યપ્રદેશના મુરેનાથી હત્યા માટે યશ અને સ્મિતે હથિયાર લાવ્યા હતા. જે સમગ્ર કેસને લઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
હત્યાના ષડયંત્રનો ખુલાસો
યશની પૂછપરછમાં વધુ એક શખ્સની હત્યાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. મુકેશ ઠાકોર નામના શખ્સની હત્યા કરવાની હતી. મુકેશ ઠાકોર પણ રૂપિયાની ઉઘરાણી કરતો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ