બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / Politics / સુરત / Both the leaders accused each other of asserting their dominance in the tribal area of Bharuch
Vishal Khamar
Last Updated: 05:03 PM, 24 August 2023
ભરૂચ લોકસભા બેઠકને લઈ આપ અને ભાજપનાં નેતા વચ્ચે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે. ગઠબંધનમાં કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તો આપ ટેકો આપી તેઓને જીતાડવા પ્રયત્ન કરશે. ત્યારે કોંગ્રેસનાં લઘુમતિ ઉમેદવાર સામે ભાજપ હિંદુકાર્ડ ખેલી જીત મેળવે છે. જો ગઠબંધન ન થાય તો તમામ બેઠકો પર આપ ઉમેદવાર ઉતારશે. તો બીજી તરફ ભરૂચ બેઠક પર લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાએ જીતનો દાવો કર્યો છે તેમજ મનસુખ વસાવાએ આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાને કૂવાનાં દેડકા સમાન ગણાવ્યા છે. અને કહ્યું કે લોકો ભાજપને એમ જ મત નથી આપતા અમે પ્રજાના કામો કર્યા છે.
આપનાં મજબૂત દાવેદાર તરીકે મેં દાવેદારી નોંધાવી છેઃ ચૈતર વસાવા
આ બાબતે આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતુ કે, 26 વિપક્ષી દળોનું જે એલાયન્સ થયું છે. જેમાં હજુ સીટોની વહેંચણી થઈ નથી. ત્યારે સીટોની વહેંચણી થશે તે બાદ જ યોગ્ય જવાબ મળશે. ત્યારે હાલમાં આપનાં મજબૂત દાવેદાર તરીકે હું આ લોકસભા લડવાનો છું અને મેં આ લોકસભામાં દાવેદારી પણ કરી છે. આવનાર દિવસોમાં પાર્ટી દ્વારા જે કંઈ નક્કી કરવામાં આવશે તે માન્ય રહેશે. તેમજ એલાયન્સ નક્કી કરે કે આ બેઠક કોંગ્રેસનાં ફાળે જાય છે તો અમે ચોક્કસ કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા પ્રયત્ન કરશું. ભૂતકાળમાં કોંગ્રેસમાંથી જેટલા નેતા આવ્યા છે તે લઘુમતી સમાજમાંથી આવ્યા છે. કોંગ્રેસમાંથી જેટલા ઉમેદવાર આવ્યા છે તે લઘુમતી સમાજમાંથી આવ્યા છે. આજ દિન સુધી કોંગ્રેસે એસસી, એસટી સમાજનાં કોઈ વ્યક્તિને આ બેઠક પરથી ટીકિટ આપી નથી. ત્યારે લઘુમતી સમાજમાંથી કોઈ વ્યક્તિને ટીકિટ આપવામાં આવે તે ભાજપ અહીંયા હિન્દુત્વનું કાર્ડ ખેલીને અહીંથી જીતે છે.
અમે સતત પ્રજાની વચ્ચે જઈ પ્રજાનાં પ્રશ્નો સાંભળીએ છીએઃમનસુખ વસાવા
તો બીજી તરફ ભાજનાં સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં છ ટર્મથી ટિકિટ મળી તે જ મહત્વનું છે. અને પાર્ટીએ ટિકિટ આપ્યા પછી જીતવું તે પણ તેનાંથી વિશેષ મહત્વનું છે. અમને ખબર હોવી જોઈએ કે પાર્ટી એમ જ છ ટર્મથી ટિકિટ નથી આપી દેતી અને મતદારો એમ જ વોટીંગ નથી કરતા. અમે સતત પ્રજાની વચ્ચે જઈ પ્રજાનાં પ્રશ્નો સાંભળીએ છીએ. તેમજ સરકારની યોજનાઓ સતત લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન હોય છે.
કોંગ્રેસમાં ટિકિટ માટે મુમતાઝ પટેલ દાવો કરી શકે છેઃ મનસુખ વસાવા
કોંગ્રેસનાં સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ બાબતે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં ટિકીટ માટે દાવો કરી શકે છે. પરંતું હાલ ભરૂચ લોકસભામાં કોંગ્રેસ પૂર્ણ થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir