બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / BJP suspends its Jan Aakrosh Yatra in Rajasthan in wake of COVID-19
Hiralal
Last Updated: 03:50 PM, 22 December 2022
કોરોના સંકટ વચ્ચે ભાજપે રાજસ્થાનમાં ચાલી રહેલી જન આક્રોશ યાત્રાને રદ્દ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ માહિતી આપી હતી.કોંગ્રેસની ભારત જોડો યાત્રાના જવાબમાં ભાજપ રાજસ્થાનમાં જન આક્રોશ યાત્રા કાઢી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જન આક્રોશ યાત્રા માટે 51 રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જન આક્રોશ યાત્રા રાજ્યના તમામ 200 વિધાનસભા મત વિસ્તારોમાં ફરવાની હતી.
BJP suspends its Jan Aakrosh Yatra in Rajasthan in wake of COVID-19: Party General Secretary Arun Singh
— Press Trust of India (@PTI_News) December 22, 2022
ગઈકાલે માંડવિયાએ રાહુલને ભારત જોડો યાત્રા અટકાવવાનું કહ્યું હતું
ઉલ્લેખીય છે કે એક દિવસ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને કોરોનાને પગલે ભારત જોડો યાત્રા રોકવાની અપીલ કરી હતી. તેમણે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી હતી. જો તેનું પાલન ન થઈ શકે તો દેશના હિતમાં આ યાત્રાને સ્થગિત કરી દેવી જોઈએ. માંડવિયાની અપીલ બાદ કોંગ્રેસ ભાજપ પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે રાહુલની મુલાકાતમાં મળી રહેલા જનસમર્થનને કારણે ભાજપ નારાજ છે. તેથી જ તે નથી ઇચ્છતી કે આ સફર થાય.
ભારતમાં વધી રહ્યું છે કોરોના જોખમ, ભીડ ઘટાડવાની અપીલ
દેશમાં ફરી એકવાર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેના માટે સરકાર દરેક મોરચે તૈયારી કરી રહી છે. ખુદ પ્રધાનમંત્રી મોદીની સ્થિતિ પર ચાંપતી નજર છે. એક દિવસ પહેલા હાઈ લેવલ મીટિંગ કર્યાં બાદ હવે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં કોરોના વિશે માહિતી આપી છે.
લોકો માસ્ક પહેરે, સેનિટાઈઝરનો ઉપયોગ કરે
લોકસભાના માધ્યમ દ્વારા સાંસદો અને દેશને કોરોનાની સ્થિતિની જાણ કરતા માંડવિયાએ કહ્યું કે દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને સેનિટાઇઝરનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ કરવાની સલાહ આપવામાં આવી છે. જેથી દેશમાં જો નવું વેરિયંટ આવે તો તેને સમયસર ઓળખીને પગલા ભરી શકાય. આગામી તહેવાર અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને, રાજ્યોએ સતર્ક રહેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir