બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Parth
Last Updated: 04:26 PM, 15 December 2021
અજય મિશ્રાને દિલ્હીનું તેડું
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અને ઉત્તર પ્રદેશના કદ્દાવર નેતા અજય મિશ્રા ટેનીને ભાજપ હાઇકમાંડે તાબડતોબ દિલ્હી આવવા માટે તેડું મોકલ્યું છે. આજે જે અજય મિશ્રા પત્રકારોનાં સવાલો પર ભડકી ઉઠયા હતા અને જેમ તેમ અભદ્ર ભાષામાં ગાળો ભાંડી હતી. એવામાં હવે માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર પોતાના મંત્રી પર કડક કાર્યવાહી કરી શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, અમે આ માણસને છોડવાના નથી
બીજી તરફ રાહુલ ગાંધી પણ આ મુદ્દે ખૂબ આક્રમક થઈ ગયા છે, રાહુલ ગાંધીએ અજય મિશ્રાની કરતૂત મુદ્દે કહ્યું કે જેમ કૃષિ કાયદા રદ્દ કરાવ્યા તેમ આને પણ અમે જેલ મોકલીને જ રહીશું. તમે જોઈ લેજો સરકાર હવે રાજીનામું લેશે. આ મંત્રી જ્યાં સુધી જેલ નહીં જાય ત્યાં સુધી અમે છોડીશું નહીં, અંતમાં રાજીનામું આપવું જ પડશે, જ્યાં સુધી આ જેલમા નહીં જાય અમે છોડવાના નથી.
આજે પત્રકારોને ધમકાવ્યા
આજે અજય મિશ્રા ટેની આજે પત્રકારોને ધમકાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે જેમા તે અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કરતાં દેખાઈ રહ્યા છે.
અજય મિશ્રાનો દીકરો હત્યાનો આરોપી
નોંધનીય છે કે ત્રીજી ઓકટોબરનાં રોજ યુપીના લખીમપૂરમાં એક ઘટના થઈ હતી જેમા કાર નીચે કચડાઈ જવાના કારણે ચાર ખેડૂતોનાં મોત થયા હતા. જે બાદ ખેડૂત આંદોલનમાં સામેલ ભીડે પણ સામે પક્ષે કેટલાક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. સમગ્ર ઘટનામાં આરોપ હતો કે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતાના દીકરાએ જ ખેડૂતોને મારવા માટે આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું. ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી કાંડમાં સૌથી મોટો ટ્વીસ્ટ આવી ગયો છે, SIT ની તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતોને ગાડીથી કચડી નાંખવાની આખી ઘટના સમજી વિચારીને કરવામાં આવેલ કાવતરું હતું, SIT એ તમામ આરોપીઓ પર હત્યાની ધારાઓ લગાવી દીધી છે. નોંધનીય છે કે આરોપીઓમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનાં દીકરાનું પણ નામ છે, આશિષ મિશ્રા સહિત 14 લોકો હવે હત્યાનો કેસ ચાલશે. આજે જ આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir