બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar police registered a case against Dyarthi leader Yuvraj Singh and arrested him
Dinesh
Last Updated: 09:25 PM, 21 April 2023
ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અને આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે. મળતી વિગતો મુજબ વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવાને આધારે કાર્યવાહી થઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, ભાવનગર એસઓજીએ યુવરાજસિંહને બે વખતે સમન્સ પાઠવ્યું હતું ત્યારે આજ રોજ ભાવનગર પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં જ્યાં તેમની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે. પાપ્ત વિગતો મુજબ 386 અને 388 તેમજ 120 બી - મદદગારી હેઠળ યુવરાજસિંહ સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જે કલમોમાં 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે.
રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન
રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે, યુવરાજસિંહએ તેમના પર આક્ષેપો મામલે ગોળ ગોળ જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, યુવરાજસિંહ સામે 386, 388, 120B મુજબનો ગુનો નોંધ્યો છે, ગત 25મી માર્ચની આસપાસના રોજ ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો આપ્યો, ઘનશ્યામ લાંધવા, યુવરાજસિહે અને તેમના સાગરીતોને વિદ્યાર્થીના પરીવારને પ્રેશરમાં રાખ્યા હતા તેમજ PKએ સંબધિઓ પાસેથી રૂપિયા લઈ યુવરાજસિંહના સાગરીત ઘનશાયમ લાંધવાને 45 લાખ રૂપિયા આપ્યા છે, પ્રકાશ દવેનું નામ ડમીકાંડમાં ન લીધું હતું
તેમણે કહ્યું કે, અન્ય એક આરોપી પ્રદીપ બારૈયાએ નોકરી બચાવવા ઘનશાયમ લાંધવાને યુવરાજસિંહ સાથે મીટિંગ કરવાનું કહ્યું, બેઠકમાં યુવરાજસિંહે ડાયરી બતાવી તો પ્રદીપ બારૈયાએ કહ્યું પતાવી દો હું 10 લાખ આપીશ, પણ યુવરાજસિહે 60 લાખની માંગણી કરી, છેલ્લે પ્રદિપ રડવા લાગતા છેલ્લે 55 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ હતી.
ભાવનગર રેન્જ IGP ગૌતમ પરમાર જણાવ્યું કે, પ્રદીપ બારૈયાએ 31 માર્ચે 25 લાખ રૂપિયા આપ્યા, પછી 17 લાખ, 4 એપ્રિલે રાત્રિના દસ વાગ્યે 13 લાખ રૂપિયા આપ્યા, આ રૂપિયા ધનશ્યામે યુવરાજસિંહને આપેલા, તેનું નામ પણ યુવરાજસિંહે ડમીકાંડ ન લીધું.
ગૌતમ પરમારે કહ્યું કે, યુવરાજસિંહ ગોળગોળ જવાબ આપી રહ્યા છે, યુવરાજસિંહ અને તેમના સાગરીતો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે
પૂછપરછ પહેલા યુવરાજસિંહએ કર્યા હતા આક્ષેપ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આજે ભાવનગર SOG સમક્ષ હાજર થયા હતા જે બાદ તેમની લાંબી પૂછપરછ ચાલી હતી. જોકે આજે પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે અનેક આક્ષેપો લગાવ્યા હતાં. યુવરાજસિંહે કહ્યું કે, સત્ય દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મે નામ આપ્યા છે એની તપાસ નથી થઈ રહી. આ સાથે તેમણે કહ્યું કે, મેં 4 નામ આપ્યા હતા જેમાંથી એક નામ સામે તપાસ નથી થઈ.
શું છે સમગ્ર મામલો
ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા હતા. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા ત્યાર બાદ યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.
'મુલાકાતનો મતલબ એ નથી કે કોઈ જગ્યાએ લેતી દેતી થઈ'
અગાઉ યુવરાજ સિંહે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુલાકાત તમામ સાથે થઈ છે. હું એવું નથી કહેતો કે હું બિપિનભાઈને ઓળખતો નથી. હું બિપિનભાઈને ઓળખું પણ છું અને તેમની સાથે પણ મુલાકાત થઈ છે. પરંતુ મુલાકાતનો મતલબ એ નથી કે કોઈ જગ્યાએ લેતી દેતી થઈ છે.
બિપિન ત્રિવેદીના આક્ષેપ
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.
55 લાખમાં થઈ હતી ડીલઃ બિપિન ત્રિવેદી
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir