બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / Bhavnabe of Gujarat told the story of the war from Jerusalem
Vishal Khamar
Last Updated: 09:48 PM, 9 October 2023
આ બાબતે ઈઝરાયેલ ખાતે રહેતા ભાવનાબેન ઓડેદરા જેઓ જેરૂસલેમ ખાતે રહે છે.તેઓએ જણાવ્યું હતું કે, જેરુસલેમમાં બધા સેફ છે. આસ્કલોન તેમજ બોર્ડરની નજીકનાં જે શહેરો છે ત્યાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યાં ગમે ત્યારે મિસાઈલ પડી શકે છે. ખૂબ નુકશાન થયું છે. ઈઝરાયેલ સરકાર દ્વારા સુરક્ષાનાં ભાગરૂપે શું પગલા ભરાયા તે બાબતે કંઈ સૂચનાં બાબતે ભાવનાબેને જણાવ્યું હતું કે, તમામ લોકોએ પોતાનાં પાસપોર્ટ, ઈન્શ્યોરન્સ કાર્ડ, પૈસા તેમજ તમારી જે જરૂરીયાતની ચીજ વસ્તુ હોય તે તમારી બેગમાં જ રાખો. કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.
જેરૂસલેમમાં કાલ રાતથી કરફ્યું લગાવી દેવામાં આવ્યો
તેમજ જેરુસલેમ સહિતનાં શહેરોમાં કરફ્યું પણ લગાવી દેવામાં આવ્યો છે. કાલ રાતથી લેબેનોને પણ મિસાઈલ છોડી હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યૂયર નો તહેવાર હતો અને શુક્રવાર, શનિવાર હતા. તહેવાર હોઈ આ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. ન્યૂયરમાં મોટા ભાગનાં લોકોને રજા હોય. ત્યારે ઓચિંતા જ પેલેસ્ટાઈન દ્વારા બોર્ડર તોડી નાંખી તેમજ મિસાઈલ તોડી નાંખે તેવી સિસ્ટમ છે. ત્યારે જે લોકો બોર્ડર મારફતે અંદર પ્રવેશ્યા હતા. તેઓને ગોળી મારી દેવામાં આવતી હતી.
ઈઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલા ભારતના કેરળ રાજ્યની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ઈઝરાયેલમાં કામ કરે છે. મહિલાની હાલત નાજુક છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ હમાસના હુમલામાં 10 નેપાળી નાગરિકોના પણ મૃત્યુ થયા છે. નેપાળ એમ્બેસીએ આ વાતની પુષ્ટિ કરી છે.
હુમલામાં ઈજાગ્રસ્ત થઈ ભારતીય મહિલા
હમાસના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાની ઓળખ શીજા આનંદ (ઉં.વ 41 વર્ષ) તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકેટ હુમલામાં ભારતીય મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને ઈઝરાયેલની એક હોસ્પિટલમાં શીજા આનંદની સારવાર ચાલી રહી છે. ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ શીજા આનંદે કેરળમાં રહેતા તેમના પરિવાર સાથે વાત કરી હતી અને તેમને જાણ કરી હતી કે તેઓ સુરક્ષિત છે, પરંતુ વાતચીત દરમિયાન તેમનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.
10 નેપાળી નાગરિકોના મોત
હમાસના હુમલામાં નેપાળના 10 નાગરિકોના પણ મોત થયા છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે અને એક લાપતા છે. નેપાળના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, 17 નેપાળી નાગરિકો ઈઝરાયેલના કિબૂઝ અલુમિમના એક કૃષિ ફાર્મમાં કામ કરી રહ્યા હતા. તેમાંથી 10 નેપાળી નાગરિકો મૃત્યુ પામ્યા છે. જ્યારે બેનો આબાદ બચાવ થયો છે. અન્ય ચાર નેપાળી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે અને એક લાપતા છે. ગુમ થયેલા નેપાળી નાગરિકની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં તમામના મૃતદેહોને નેપાળ લાવવામાં આવશે. નેપાળ સરકારે ઈઝરાયેલ સરકારને ઈજાગ્રસ્તોની મદદ કરવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir