બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Before Parineeti and Raghav's wedding, a cricket match will be played between the families, pre-wedding functions begin

ગપશપ / પરિણીતી અને રાઘવના લગ્ન પહેલા પરિવારો વચ્ચે રમાશે ક્રિકેટ મેચ, પ્રિ-વેડિંગ ફંક્શન્સ શરૂ

Megha

Last Updated: 11:56 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરમાં લગ્ન કરશે. એવા અહેવાલ છે કે બંનેના લગ્ન પહેલાના કાર્યક્રમો એટલે કે પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે.

  • પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી છે
  • લગ્ન પહેલા બંને પરિવારો વચ્ચે રમાશે ક્રિકેટ મેચ 
  • પરિણીતી અને રાઘવના પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે

પરિણીતી ચોપરા આ દિવસોમાં તેના લગ્નને લઈને સમાચારોમાં છે. પરિણીતી આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી છે, ફિલ્મ અને રાજકારણના આ લગ્નને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં પરિણીતી અને રાઘવ લગ્ન પહેલા સાથે જોવા મળ્યા હતા. 

પરિણીતી અને રાઘવના લગ્ન પહેલા પરિવારો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે 
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે મે મહિનામાં દિલ્હીમાં સગાઈ કરી હતી. હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને તેમના લગ્નની તારીખ અને સ્થળ બધુ જ નક્કી થઈ ગયું છે. અહેવાલ છે કે બંનેના લગ્ન પહેલાના કાર્યક્રમો એટલે કે પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. આ દરમિયાન એક રસપ્રદ માહિતી સામે આવી રહી છે કે બંને પરિવારો વચ્ચે ક્રિકેટ મેચ થવાની છે. આ મનોરંજક પ્રવૃત્તિમાં કપલના મિત્રો પણ ભાગ લેવાના છે.

લગ્નના કાર્યક્રમો કીર્તન અને અરદાસ સાથે શરૂ થયા 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિણીતી અને રાઘવ દિલ્હીમાં છે. બંનેના લગ્નના કાર્યક્રમો કીર્તન અને અરદાસ સાથે શરૂ થઈ ગયા છે. સાથે જ લગ્નના કાર્યક્રમો સિવાય વર-કન્યાના પરિવારના સભ્યો વચ્ચે ક્રિકેટ મેચ પણ રમાશે. ઉપરાંત લગ્નમાં આવેલ અતિથિઓ માટે ઘણી મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 

24 સપ્ટેમ્બરના રોજ ઉદયપુરમાં લગ્ન કરશે
રિપોર્ટ્સ અનુસાર પરિણીતી અને રાઘવ 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરમાં લગ્ન કરશે. તેમના લગ્નની થીમ પર્લ વ્હાઇટ રાખવામાં આવી છે અને લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થશે. સાથે જ માહિતી મળી છે કે આ ક્રિકેટ મેચ દિલ્હીમાં યોજાશે. આ પછી પરિવારના સભ્યો ઉદયપુર જશે. પરિણીતી રવિવારે દિલ્હી પહોંચી હતી. રાઘવ તેને લેવા એરપોર્ટ પર જોવા મળ્યો હતો. બંનેએ સરખા આઉટફિટ પહેર્યા હતા. 

લગ્નમાં આ મહેમાનો આપી શકે છે હાજરી 
એવા અહેવાલ છે કે પ્રિયંકા ચોપરા પુત્રી માલતી અને પતિ નિક જોનાસ સાથે લગ્નમાં હાજરી આપશે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલ, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ, કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના પણ આવવાની સંભાવના છે.  

રાજસ્થાનના ઉદયપુરમાં ભવ્ય રીતેલગ્ન કરશે
પરિણીતી અને રાઘવ રાજસ્થાનના ઉદયપુરમાં 23-24 સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં ભવ્ય રીતેલગ્ન કરશે. તાજેતરમાં, તેમનું રિસેપ્શન કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેમાં લખ્યું હતું કે કપલ ઉદયપુરમાં એક અઠવાડિયાની ઉજવણી પછી 30 સપ્ટેમ્બરે ચંદીગઢમાં રિસેપ્શનનું આયોજન કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ