બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Ayodhya Ram Mandir Bhoomi Poojan : purohi asked for daxina to pm modi
Parth
Last Updated: 03:51 PM, 5 August 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર હતા.
પીએમ નરેન્દ્ર મોદીનો શિલાન્યાસ કર્યા પછી, પૂજન સંકલ્પ દરમ્યાન પુરોહિતે કહ્યું, 'કોઈપણ યજ્ઞમાં દક્ષિણાનું મહત્વ હોય છે. આજે દક્ષિણા તો એટલી બધી અપાઈ ગઈ છે કે અબજો આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારત તો આપણું છે જ, તેના કરતા વધારે આપો. કેટલીક સમસ્યાઓ છે, અમે તે સમસ્યાઓ દૂર કરવાનો સંકલ્પ કર્યો છે, જો 5 ઓગસ્ટમાં બીજું કંઈક ઉમેરી દેવામાં આવે તો ભગવાનની કૃપા થશે.
કોરોના સંકટને કારણે, યાજમાન એટલે કે પીએમ નરેન્દ્ર મોદી અને પૂજા કરી રહેલા પંડિતો વચ્ચે સામાજિક અંતરની કાળજી લેવામાં આવી હતી. આ સાથે, અન્ય મહેમાનો પણ અંતરે બેઠા. શ્રી રામ જન્મભૂમિના પ્રાંગણમાં પૂજા કરતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામલાલાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પ્રણામ દ્વારા રામલાલા પાસેથી આશીર્વાદ લીધા હતા.
ખાસ વાત એ છે કે રામલલા બેઠા હતા ત્યાં જ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 શિલાઓ મૂકીને રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો. લગભગ 150 સાધુ-સંતો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. કોરોનાને કારણે, સામાજિક અંતરની કાળજી લેવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાની સાકેત કોલેજ પહોંચ્યા હતા. આ પછી તેમનો કાફલો સીધો હનુમાનગઢી પહોંચ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન હનુમાનના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. આ દરમિયાન પીએમ મોદીને પાઘડી અને તાજ પહેરાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ