બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Anju Gets a luxury Flat as a gift in Pakistan, Will She Comeback to India?
Hiralal
Last Updated: 03:32 PM, 29 July 2023
ફેસબુક પ્રેમ માટે ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ હવે ભાગ્યે જ પાછી આવશે કારણ કે તેને હવે ત્યાં રહેવા માટે એક આલિશાન ઘર પણ મળી ગયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે નસરુલ્લા સાથે લગ્ન કર્યા બાદ અંજુને પાકિસ્તાનના એક જાણીતા બિઝનેસમેન દ્વારા 10મા માળે ફ્લેટ આપવામાં આવ્યો છે. માર્કેટમાં આ ફ્લેટની કિંમત 40 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં અંજુના ભારત પરત ફરવા પર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંજુએ અગાઉ પણ ઈન્ટરવ્યુમાં ભારત પરત ન આવવાનો સંકેત આપ્યો હતો. ત્યારે અંજુએ કહ્યું હતું કે હવે ભારતમાં તેના માટે કંઈ બચ્યું નથી. તેણે દાવો કર્યો હતો કે ભારતમાં તેની સુરક્ષા માટે ખતરો છે.
શું અંજુ ભારત પરત આવશે?
અંજુએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે ભારતમાં મારી વિરુદ્ધ ઘણું બધું થઈ રહ્યું છે. વી સ્થિતિમાં, હું ભારત પરત ફરવા પર મારી સુરક્ષાની ખાતરી કોણ આપશે? અંજુએ કહ્યું હતું કે જો તે ભારત પરત ફરશે તો ન તો તેના સંબંધીઓ તેને સ્વીકારશે અને ન તો તેના બાળકો તેને અપનાવશે. અંજુએ એવો પણ દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.
લગ્ન કર્યો હોવાનો દાવો ફગાવ્યો
અંજુએ તેના ફેસબુક બોયફ્રેન્ડ નસરુલ્લા સાથે નિકાહના દાવાને નકારી કાઢ્યો છે. તેણે એમ પણ કહ્યું કે મેં કોઈ ધર્મ બદલ્યો નથી. જો કે, અંજુના દાવા પર કોઈ વિશ્વાસ કરતું નથી કારણ કે તે ઘણી વખત ખોટું બોલી ચૂકી છે. અંજુ લગ્નમાં હાજરી આપવા અને બહેન પાસે જવાના બહાને ઘરેથી નીકળી હતી, પરંતુ તે પાકિસ્તાન પહોંચી ગઈ હતી. બીજી વખત પાકિસ્તાન પહોંચ્યા બાદ તેણે બે દિવસમાં ભારત પરત ફરવાની વાત કરી હતી, પરંતુ બાદમાં તે પણ મોકૂફ રાખી હતી.
અંજુએ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હોવાનો દાવો
પાકિસ્તાની પોલીસ અને સ્થાનિક લોકોનો દાવો છે કે અંજુએ સ્થાનિક કોર્ટમાં ઔપચારિક એફિડેવિટ આપીને નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે અંજુને સુરક્ષા પણ આપવામાં આવી છે. તાજેતરના એક વિડિયોમાં અંજુને તેના લગ્ન બાદ સ્થાનિકો તરફથી ભેટો મળતી હોવાનું જોઈ શકાતું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir