બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Vaidehi
Last Updated: 07:47 AM, 7 January 2024
VAIDEHI BHINDE VTV: દેશ-વિદેશમાં હોસ્પિટલ્સ, NGO અને અન્ય સંસ્થાઓ બ્લડ ડોનેશન અથવા અવેરનસ કેમ્પ્સ ગોઠવતાં હોય છે જ્યાં સ્વૈચ્છિક ધોરણે લોકો પોતાનું બ્લડ ડોનેટ કરતાં હોય છે. આ બ્લડને સંસ્થાઓ ટેસ્ટ કરીને પ્રિઝર્વ કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિને એક્સિડેન્ટ અથવા તો અન્ય કોઈ બીમારીને લીધે લોહીની જરૂર પડે ત્યારે તેમને આ બ્લડ સોંપતા હોય છે. આ તો થઈ HUMAN BLOODની વાત..પણ શું તમે ક્યારે ANIMAL BLOOD DONATION વિશે સાંભળ્યું છે?
માણસની જેમ પ્રાણીઓનાં પણ અકસ્માત થતાં હોય છે અથવા તો તેમને પણ બીમારી થતી હોય છે. અને જો સારવાર સમયે તેને યોગ્ય બ્લડ ન મળે તો, બ્લડ લોસનાં કારણે પ્રાણી મૃત્યુ પામે છે. મૂંગા પ્રાણીઓની આવી દયનીય સ્થિતિ જીવદયા પ્રેમી એક યુવાનનાં હદયને સ્પર્શી ગઈ અને તેણે એકલા હાથે પ્રાણીઓનાં જીવને બચાવવા માટે એક નવી ઝૂંબેશ હાથ ધરી- પ્રાણીઓનો બ્લડ ડોનેશન કેમ્પ!
પ્રાણીઓની બ્લડ બેંક
બનાસકાંઠાનાં આ 30 વર્ષીય યુવાન ‘વિશ્વેશ ભારતીય’ પ્રાણી પ્રેમી છે અને પ્રાણીઓનાં જીવને બચાવવા માટે છેલ્લાં 14 વર્ષથી કામ કરી રહ્યાં છે. VTV સાથેની વાતચીત દરમિયાન વિશ્વેશભાઈએ જણાવ્યું કે તેઓ ' VISW- Our Responsibility' નામની NGO ચલાવે છે, જ્યાં તે પોતે અને તેમની ટીમનાં મેમ્બર્સ પ્રાણીઓનો જીવ બચાવવાનું, પ્રાણીઓ સંબંધિત પ્રશ્નો મામલે ગાઈડન્સ આપવાનું તેમજ પ્રાણીઓને થતી બીમારીઓ તેમજ મૃત્યુને લઈને જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. છેલ્લાં થોડા સમયથી તેમણે 'પ્રાણીઓની બ્લડ બેંક' કેમ્પેઈન ચાલુ કર્યું છે. જે અંતર્ગત તેઓ વિવિધ એનિમલ જાગૃતિ કેમ્પ્સ ગોઠવે છે . આ કેમ્પમાં લોકો પોતાના પ્રાણીઓનાં ચેકઅપ બાદ તેમનું નામ NGOમાં રજિસ્ટર કરાવે છે. રજિસ્ટર થયેલ પ્રાણીઓ જરૂરિયાત પડે ત્યારે પોતાનું બ્લડ અન્ય ઘાયલ પ્રાણી માટે ડોનેટ કરે છે. પ્રાણીઓનો જીવ બચાવવા માટે અત્યાર સુધી તેમણે 90 જેટલા કેમ્પ્સ કર્યાં છે.
આખા દેશમાં બ્લડ પહોંચાડે છે
વિશ્વેશભાઈએ જણાવ્યું કે, "હાઈવે અને રોડ-રસ્તાઓ પર પ્રાણીઓનાં અકસ્માત કિસ્સાઓ વધી ગયાં છે. આ નિર્દોષ પ્રાણીઓને વાહનની ટક્કર વાગે છે અને તે તમ્મર ખાઈને પડી જાય છે. પણ નવાઈની વાત તો એ છે કે આ પ્રાણીઓ અકસ્માતને લીધે નહીં પણ અકસ્માત બાદ થતાં બ્લડ લોસને લીધે મૃત્યુ પામી જતાં હોય છે. આ પ્રાણીઓ લોહીની ઊણપને લીધે મોતને ન ભેટે તે માટે મેં એનિમલ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કર્યાં છે." વિશ્વેશ પાસે હાલમાં તેમની આશરે 86 જેટલા રજિસ્ટર્ડ પ્રાણીઓ છે કે જેઓ પોતાનું બ્લડ ડોનેટ કરવા માટે તૈયાર છે. દેશભરમાં પ્રાણીઓનાં બ્લડની નિ:શુલ્ક સેવા કરતાં વિશ્વેશભાઈએ હજુ સુધી મુંબઈ, કોલકત્તા અને અમદાવાદ ખાતે કુલ 4 પ્રાણીઓનો જીવ બચાવ્યો છે અને તેમની આ યાત્રા અવિરત ચાલુ જ છે.
અલગ છે પ્રાણીઓના બ્લડ ડોનેશનની પ્રોસેસ
જેમ માણસોનાં લોહી અલગ-અલગ બ્લડ ગ્રુપમાં વિભાજિત થયેલા હોય છે, તેવી જ રીતે પ્રાણીઓનાં બ્લડ પણ ભિન્ન-ભિન્ન પ્રકારનાં હોય છે. વિશ્વેશભાઈએ જણાવ્યું કે પ્રાણીઓમાં પણ બ્લડ ગ્રુપ હોય છે પણ જ્યારે તાત્કાલિક કોઈ પ્રાણીને બ્લડની જરૂર હોય ત્યારે કોઈપણ અન્ય પ્રાણીનાં બ્લડથી તેનો જીવ બચી શકે છે. ઉદાહરણ આપતાં તેમણે સમજાવ્યું કે ‘જો કોઈ ગાયને લોહીની તાત્કાલિક જરૂર પડે છે તો પહેલા સ્ટેજમાં તો તેને કોઈપણ અન્ય પ્રાણીનાં બ્લડથી કામ ચાલી જશે. પણ જો તે ગાયને ફરીથી કોઈ કારણોસર લોહીની જરૂર પડે છે તો ત્યારે બ્રિડના હિસાબે કે પ્રાણીનાં બ્લડગ્રુપનાં હિસાબે તેને લોહી ચડાવવું પડે છે. મોટાભાગે પ્રાણીઓને 200થી 300ml લોહી પૂરતું રહે છે.’
600થી વધુ સ્વયંસેવકો સાથે મળી કરે છે કામ
વિશ્વેશભાઈએ જણાવ્યું કે, ‘આ ઝૂંબેશમાં મારો સાથ આશરે 600-700 વોલેન્ટિયર્સ આપે છે. વોટ્સએપ ગ્રુપની મદદથી અમે સૌ જોડાયેલા રહીએ છીએ જ્યાં કોઈપણ ઈમેરજન્સી આવે ત્યારે એક મેસેજ માત્રથી સ્વયંસેવકો સેવા આપવા તૈયાર થઈ જતાં હોય છે.’ વિશ્વેશભાઈએ જણાવ્યું કે, ' નજીકનાં ભવિષ્યમાં હું સરકારમાં રજિસ્ટર્ડ પ્રાણીઓની બ્લડ બેંક બનાવવા ઈચ્છું છું કે જ્યાં હું મોટાપાયે આવી સેવાભાવી પ્રવૃતિ કરી શકું'
પ્રાણીઓનાં જીવની ચિંતા કરતો ગુજરાતનો આ યુવાન આજે હજારો લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યો છે. માણસોનાં જીવની જેમ પ્રાણીઓનો જીવ પણ એટલો જ મહત્વનો છે. પ્રાણીઓ એ આપણી આસપાસનાં પર્યાવરણનો જ એક હિસ્સો છે. તેવામાં એક સમજુ નાગરિક તરીકે આપણે સજાગતાથી પ્રાણીઓનાં જીવની જાળવણી કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
વાંચવા જેવું: ગુજરાતની પંચાલ બહેનોની સંઘર્ષભરી કહાની: રામ મંદિર આંદોલનમાં માતા-પિતા અને બે બહેનોએ ગુમાવ્યા જીવ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir