બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Ayodhya ram mandir: Ahmedabad panchal family lost 5 members of their family during godhra train accident
Vaidehi
Last Updated: 07:25 PM, 5 January 2024
VTV Special: ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેને લઈને અયોધ્યા સંઘર્ષ સમયે જોડાયેલા લોકો અને તેમના પરિવારજનોને આમંત્રણ પાઠવામાં આવી રહ્યાં છે. જેમાં અમદવાદમાં રામમંદિર માટે બલિદાન આપનારા એક પરિવારને પણ નિમંત્રણ મળ્યું છે. અમદવાદમાં વસતો આ પંચાલ પરિવાર કે જેમણે રામમંદિર સંઘર્ષમાં ટ્રેન અકસ્માત દરમિયાન એકસાથે પોતાના માતા-પિતા અને બહેનને ગુમાવ્યાં છે. આવો જાણીએ તેમની હદયકંપી કહાની...
2002 યજ્ઞનો સમય
રામમંદિર નિર્માણ માટેનો ૫૦૦ વર્ષ જૂનો ઈતિહાસનો સંઘર્ષનો હદયકંપી છે. ૪ લાખ બલીદાન અને ૭૬ યુદ્ધ બાદ હવે અયોધ્યામાં રામમંદિર તૈયાર થયું છે. સંઘર્ષ દરમિયાન આપણાં ગુજરાતનાં કેટલાક રામ ભક્તોએ પણ સેવાઓ આપીને પોતાનું યોગદાન આપ્યું હતું. આ રામ મંદિર સંઘર્ષમાં બલીદાન આપનારા પરિવારને યાદ કરીને રામમંદિરના ટ્રસ્ટ દ્વારા તેમને આમંત્રણ પાઠવામાં આવી રહ્યું છે. જેમાં ૧૯૯૦ અને ૧૯૯૨ની કાર સેવા બાદ અયોધ્યામાં રામ મંદિર ખાતે આયોજિત યજ્ઞ ૨૦૦૨માં યોજાયો હતો. જેમાં સેંકડો લોકો જોડાયા હતાં. તેમાં અમદાવાદમાં વસતા પંચાલ પરિવારનાં 5 સભ્યો પણ જોડાયાં હતાં.
ગોધરામાં હિંદુ કાર્યકરોને લઇને જતી એક ટ્રેનમાં આગની ઘટના
પંચાલ પરિવારના તમામ સદસ્યો એટલે કે, હર્ષદભાઈ પંચાલ તેમના પત્ની નીતાબેન અને તેમની ત્રણ દીકરીઓ આ યજ્ઞ માટે અયોધ્યા ગયાં હતાં. જ્યારે તેમની બીજી બે દીકરીઓ પરીક્ષા કારણે ઘરે રહી હતી. ૨૦૦૨માં ગોધરામાં હિંદુ કાર્યકરોને લઇને જતી એક ટ્રેનમાં આગ લગાડવામાં આવી હતી, જેમાં 58 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ટ્રેન અકસ્માતમાં હર્ષદભાઈ પંચાલ તેમના પત્ની નીતાબેન અને તેમની 2 દીકરીઓનું અવસાન થયું હતું, આમ પંચાલ પરિવારના 4 લોકો મૃત્યુ પામ્યાં હતા. જ્યારે સદનસીબે ગાયત્રીબહેન બચી ગયા હતા. આજે પરિવારની બન્ને દીકરીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે . આમંત્રણ મળતાં અમદવાદમાં વસતી આ દીકરીઓનાં મુખેથી શબ્દો નીકળ્યા કે- "પરિવાર રામ મંદિરની આહુતિ માટે ગયો પણ મારું પરિવાર હોમાઈ ગયું..."
જે બહેનનો બચાવ થયો તે હાલ લંડનમાં છે..
પંચાલ પરિવારની નાની દીકરી પ્રિયંકા કહે છે કે," માતા પિતાનાં અવસાન બાદ અમારા પરિવાર પર મોટી આફત આવી. મારી બહેન કે જેનો બચાવ થયો હતો તે ગાયત્રીબેન હાલ તો લંડનમાં છે, પરતું તેઓ આ સદમો આજે પણ ભૂલી શકતા નથી. કેટલાય વર્ષો સુધી બહેનની હાલત ખરાબ રહી અને માતા પિતા બાદ પરિવાર જેવું કંઈ રહ્યું જ નહી. તે બાદ જાણે પરિસ્થતિમાંથી રામે ઉગાર્યા એમ કહી તો ખોટું નથી. 3 બહેનો માતાપિતાની છાયા વિના ઊછરી. તેમણે કહ્યું કે, હવે ૨૨ તારીખે યોજાનાર અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અમને આમંત્રણ મળ્યું છે, તે બદલ અમે ખુશ છીએ...સેંકડો વર્ષનાં સંઘર્ષ બાદ હવે રામજી નિજ મંદિરમાં પ્રવેશ કરશે. તેથી મારા પિતા રામ મંદિર માટે બલિદાન એળે ગયું નથી..આજે રામ મંદિર માટેના તેમનાં બલીદાનની નોંધ અયોધ્યાવાસીઓએ લીધી છે. અમને આમંત્રણ મળ્યું છે, અમે પરિવારના સદસ્યો પણ અયોધ્યા જઈશું."
પરિવાર પર જાણે આભ તૂટ્યો...
ટ્રેન અકસ્માત બાદ પંચાલ પરીવાર પર જાણે આભ તૂટી ગયો હતો. પરિવારના તમામાં લોકોનાં અવસાન બાદ પરિવાર અનેક યાતનાઓ ભોગવીને બહાર આવ્યો છે.પરંતુ પરિવારનો બલીદાન આજે પણ બન્ને દીકરીઓ ખુમારી પૂર્વક યાદ કરે છે. પંચાલ પરિવારને જયારે રામ મંદિરનું આમંત્રણ મળ્યું તેનો તેમણે સહર્ષ સ્વીકાર કરીને અયોધ્યા જવાની તૈયારી પણ કરી દીધી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir