બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Anger erupted across Gujarat against the circular to lay off TRB jawans, petitions were sent expressing their grief.
Vishal Khamar
Last Updated: 11:42 PM, 21 November 2023
અમદાવાદમાં લાંબા સમયથી ફરજ બજાવતા TRB જવાનોને છુટા કરવાનો નિર્ણય ગુજરાતના DGP દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડની ટૂંકા સમયગાળા માં હવે ફરજ મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઈ આજે TRB જવાનો દ્વારા ચિલ્ડ્રન પાર્ક ખાતે એકઠા થઇને વિરોધ વ્યક્ત કર્યો હતો.
સુરતમાં TRB જવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
રાજ્યમાં TRB જવાનોને છૂટા કરવાના નિર્ણયને પગલે અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ TRB જવાનોએ સરકાર સામે રોષ વ્યાક્ત કર્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયથી 6 હજારથી વધુ TRB જવાનો પ્રભાવિત થયા છે.. ત્યારે રાજ્ય સરકાર પોતાનો પરિપત્ર પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી રહી છે. પરિપત્ર પરત નહીં ખેંચાઈ તો આગીમી સમયમાં આંદોલન શરૂ કરાશે તેમ કોંગ્રેસના ઓબીસી સેલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન સ્થિત સરદારની પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.સુરતના ભટાર સ્થિત ઈશ્વર ફાર્મ ખાતે TRBના જવાનો અને કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી વચ્ચે બેઠક મળી હતી. બેઠકમાં ચોક્કસ રણનીતિ તૈયાર કરવા વિચારણા થઈ હતી. ત્યારે સરકાર કોઇ નિર્ણય નહીં લે તો સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. સુરત ખાતે 1600થી વધુ TRB જવાનો ફરજ બજાવે છે. તેના હિતમાં આ નિર્ણય લેવામાં આવે તે પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી.
બનાસકાંઠામાં પણ TRB જવાનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી
રાજ્યમાં TRB જવાનોને છૂટા કરવાના નિર્ણયને કારણે ઠેર- ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આ નિર્ણયથી બનાસકાંઠાના ડીસામાં TRB જવાનોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. TRB જવાનોએ નાયબ કલેક્ટરને આવેદન આપી વિરોધ કર્યો હતો. ત્યારે સરકારના અચાનક છૂટા કરવાના નિર્ણયથી TRB જવાનો મુશ્કેલીમાં મુકાયા છે. TRB જવાનોએ આવેદનપત્ર આપી સરકારના નિર્ણયને રદ કરવા અને જવાનોને તત્કાલ ફરજ પર લેવા માગ કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir