બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 12:05 PM, 12 July 2023
એનાલ કેન્સર નોર્મલ કેન્સરથી ખૂબ જ અલગ હોય છે. આ કેન્સર એનસમાં થાય છે માટે તેને એનાલ, એનસ કે ગુદા કેન્સર કહેવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શરીરનો એ ભાગ જ્યાંથી મળનો ત્યાગ થાય છે તે ભાગને એનાલ અથવા અનસ કહેવામાં આવે છે. જો સમય રહેતા આ કેન્સરની જાણકારી મળી જાય તો દર્દીનો જીવ બચાવી શકાય છે.
સામાન્ય રીતે એનાલ કેન્સરનું જોખમ 60 વર્ષની ઉંમર બાદ વધારે હોય છે. 35ની ઉંમર આવતા આવતા પુરૂષોને આ બીમારીનું જોખમ વધારે થાય છે તો ત્યાં જ મહિલાઓમાં 50 બાદ આ બિમારીઓનું જોખમ વધવા લાગે છે.
એનાલ કેન્સરના શરૂઆતી લક્ષણ હોય છે અજીબ
એક રિપોર્ટ અનુસાર એનાલ કેન્સર જો એક વખત કોઈ વ્યક્તિને થઈ જાય તો પછી તેની તપાસ કરવી મુશ્કેલ થઈ શકે છે. આ કેન્સર એટલા માટે પણ બીજા કેન્સરથી વધારે ખતરનાક છે કારણ કે તેના શરૂઆતી લક્ષણમાં એવું કંઈ ખાસ નથી થતુ જેના કારણે તારૂ ધ્યાન તેના પર જાય. માટે શરૂઆતમાં ડોક્ટર્સ પણ તેની જાણકારી નથી મેળવી શકતા.
શું છે એનાલ કેન્સરના લક્ષણ
જેમ જેમ આ બીમારી ગંભીર રૂપમાં ફેરવાય છે તેના લક્ષ્ણ જોવા મળે છે. ઘણી વખત એવું થાય છે કે એનાલ કેન્સરનું લક્ષણ હોય અને લોકો તેને મસો સમજી લે છે. મળ ત્યાગ કરતી વખતે દુખાવો, બ્લડ નિકળવું, તેની સાથે સાથે અનલમાં ખંજવાડ આવવી, અથવા તો તેની આસપાસ ગાંઠ બનવી એનાલ કેન્સરના શરૂઆતી લક્ષણ છે.
એનાલ કેન્સરના કારણ કોઈ પણ હોઈ શકે છે પરંતુ પેલ્વિક રેડિએશન થેરેપી એક મુખ્ય કારણ છે. જેનો ઉપયોગ અન્ય પ્રકારના કેન્સર જેવા કે રેક્ટલ, પ્રોસ્ટેટ કે સર્વાઈકલ કેન્સર માટે કરવામાં આવે છે. આ થેરેપીના કારણે પણ એનાલ કેન્સરનો ખતરો વધે છે.
આ કેન્સરની સારવાર છે સંભવ?
એનાલ કેન્સરની સારવાર સામાન્ય રીતે સર્જરી, રેડિએશન અને કિમોથેરેપી દ્વારા કરવામાં આવે છે. પીડિતનું કેન્સર કયા સ્ટેજ પર પહોંચી ગયું છે તે આધાર પર સર્જરી, રેડિએશન કે કીમોથેરેપી દર્દીનો આપવામાં આવે છે. જ્યારે કેન્સર કીમોથેરેપી અને રેડિએશન પર યોગ્ય રીતે પ્રતિક્રિયા ન કરે તો સર્જરી દ્વારા આ કેન્સરની સારવાર કરી શકાય છે. જો તમને શંકા છે કે તમે એનાલ કેન્સરના લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો તો તરત જ ડોક્ટરને મળો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir