બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ગુજરાત / NRI News / સુરત / 'મારા દીકરાના કારણે આવો સમય...', 40 લાખનું દેવું કરી માતા-પિતાએ પુત્રને વિદેશ મોકલ્યો, બાદમાં રઝળતા કરી દેતા આપઘાત કર્યો
Last Updated: 01:48 PM, 8 May 2024
Surat News : આપણે ત્યાં કેટલાય યુવાનોને વિદેશ જવાના અભરખા હોય છે. જોકે કોઈક વાર માતા-પિતા પર બાળકોની ઈચ્છાશક્તિને માન આપી તેમણે વિદેશ મોકલવા તમામ પ્રયત્નોની સાથે મોટી રકમ ખર્ચ કરતાં હોય છે. સુરતમાં પણ આવી જ એક ઘટનામાં કરૂણ અંજામ સામે આવ્યો છે. જેમાં માતા-પિતાએ દેવું કરી પોતાના સંતાનને વિદેશ મોકલ્યો હતો. જોકે કળિયુગી દીકરાએ વિદેશ પહોંચ્યા બાદ માં-બાપ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ તરફ પોતાના વ્હાલસોયા દીકરાએ સંબંધ કાપી નાખતા લાગી આવતા વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લીધો છે. વૃદ્ધ દંપતીએ સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી દેતાં હડકંપ મચી ગયો છે.
ADVERTISEMENT
ડાયમંડ સિટી સુરતથી એક દર્દનાક, ચોંકાવનારા અને ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરતના સરથાણામાં વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ ચુનીભાઇ ગેડિયા નામના વ્યક્તિએ તેમની પત્ની સાથે આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું છે. જેમાં માતાપિતાને પુત્રએ રઝળતા મુકી દેતા દંપતીએ જીવન ટૂંકાવી દીધું હોવાનું ખૂલ્યું છે.
ADVERTISEMENT
આ માતાપિતાએ પોતાના વહાલસોયા પુત્રને ભણાવી-ગણાવી માથે દેવુ કરીને વિદેશ મોકલ્યો હતો. જોકે વિદેશ ગયા બાદ પુત્રએ જ મોઢું ફેરવી લેતા વૃદ્ધ દંપતિએ આપઘાત કરી લીધો છે. પુત્રએ માતા પિતા સાથે તમામ સંબધો અને વ્યવહાર બંધ કરી દીધો. જેને લઈ આઘાતમાં આવેલા માતાપિતાએ સ્યુસાઇડ નોટ લખી અને ગળેફાંસા ખાઇ કર્યો આપઘાત કરી લેતા સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે.
આપઘાત પહેલા લખી સ્યુસાઇડ નોટ
વિગતો મુજબ મૃતક ચુનીભાઈએ આપઘાત પહેલા ચાર પાનાની સુસાઈડ નોટ લખી હતી. આ સ્યુસાઇડ નોટમાં કેનેડા સ્થાઈ થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચુકવતા અને હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્રવધુનો આભાર વ્યકત કર્યો હતો. આ સાથે તેમના આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ કરી હતી. સુસાઈડ નોટમાં ચુનીભાઈએ લખ્યું કે, મને મારા સંબંધીઓ સહિતના લોકોએ રૂપિયા આપ્યા હતાં. તેઓ ક્યારેય મારી પાસે ઉઘરાણી પણ કરતાં નહોતાં. જોકે મારે તેમને રૂપિયા આપવાના હતાં. હું કમાતો નથી. તેથી રૂપિયા ક્યાંથી આપું. તેથી મને શરમ આવતી હતી. હું શું કરું ક્યાંથી રૂપિયા આપું. એ વાતના ડરે હું ઘરની બહાર નીકળી શકતો નહોતો. પરંતુ હવે મારાથી સહન નથી થાય તેમ તેથી હું આપઘાત કરું છું. પૈસા મને આપનારનો કોઈ દોષ નથી. ચુનીભાઈએ સુસાઈડ નોટમાં દીકરાને થોડો ઠપકો આપતાં લખ્યું કે, દીકરા તું તો અમને ભૂલી ગયો. પરંતુ હું મારા પૌત્ર અને તારા દીકરાને ભૂલી શક્યો નથી. હું તેને ખૂબ પ્રેમ કરુ છું. આટલાં વર્ષમાં મને તેની ખૂબ યાદ આવતી હતી. પરંતુ તે અમારી સાથે જ કર્યું તે કર્યું...પણ તારો દીકરો તારી સાથે આવું ન કરે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરુ છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT