બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / An army jawan died of bullet injuries in Punjab's Bathinda last night
Megha
Last Updated: 10:19 AM, 13 April 2023
પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળીબારમાં સેનાના ચાર જવાનોના મોત બાદ વધુ એક મોટી ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયું છે.
હાલ કહેવામાં આવી રહ્યું છે કે ડ્યુટી પર રહેલા એક જવાનએ અચાનક પોતાની રાઈફલમાંથી ફાયરિંગ થયું જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મળતી જાણકારી મુજબ જવાનની ઓળખ લઘુરાજ તરીકે થઈ છે અને મૃતક જવાનના મૃતદેહને ભટિંડાની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જો કે આ વિશે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે આ આકસ્મિક ઘટના છે કે પછી જવાને આત્મહત્યા કરી છે.
पंजाब के बठिंडा में बीती रात सेना के एक जवान की गोली लगने से मृत्यु हो गई, उसके सर्विस हथियार से गलती से गोली चल गई। मृतक जवान की पहचान लघु राज शंकर के रूप में हुई है: गुरदीप सिंह, एसएचओ, बठिंडा कैंट पुलिस स्टेशन
— ANI_HindiNews (@AHindinews) April 13, 2023
(फाइल तस्वीर) pic.twitter.com/E7IkpAf2mR
જણાવી દઈએ કે આ મિલિટ્રી સ્ટેશન પર ગઇકાલે એટલે કે બુધવારે વહેલી સવારે ચાર સૈનિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એ સમયે એ લોકો ભટિંડા લશ્કરી સ્ટેશનમાં તેમની બેરેકમાં સૂઈ રહ્યા હતા. આ સાથે જ હત્યારાઓની હજુ સુધી ઓળખ નથી થઈ અને હત્યાના ઘણા કારણો જાણવામાં આવી રહ્યા છે.
નોંધનિય છે કે હત્યાના સ્થળેથી મળી આવેલા હથિયારો અને INSAS રાઈફલના 19 ખાલી શેલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે જ 9 એપ્રિલના રોજ સ્ટેશનના શસ્ત્રાગારમાંથી 28 રાઉન્ડના મેગેઝિન સાથેની રાઈફલની ચોરી થઈ હતી અને સેનાએ ભટિંડામાં પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. આ સાથે જ આઈપીસીની કલમ 302 અને આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એ ચારેય સૈનિકો આર્ટિલરીની 80 મીડિયમ રેજિમેન્ટના હતા અને તેમાંથી ત્રણ ખાસ વાહનોના ડ્રાઇવર હતા જેઓ આર્ટિલરી ગન ખેંચતા હતા.
મળતી જાણકારી અનુસાર ભટિંડા કેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે બંને આરોપીઓએ સફેદ કુર્તા-પાયજામા પહેર્યા હતા અને તેમના ચહેરા કપડાથી ઢાંકેલા હતા. ચાર જવાનોની હત્યા કર્યા બાદ બંને જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે, જ્યારે સેના અને પોલીસ કડીઓ માટે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ