બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / An army jawan died of bullet injuries in Punjab's Bathinda last night

BIG NEWS / વધુ એક જવાન શહીદ: પંજાબના બઠીંડા મિલિટરી સ્ટેશનમાં રેડ એલર્ડ જાહેર, જાણો કારણ

Megha

Last Updated: 10:19 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્યુટી પર રહેલા એક જવાનએ અચાનક પોતાની રાઈફલમાંથી ફાયરિંગ થયું જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું, પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે આકસ્મિક ઘટના છે કે આત્મહત્યા કરી છે

  • ભટિંડામાં ચાર જવાનોના મોત બાદ વધુ એક મોટી ઘટના સામે આવી
  • અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયું
  • પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે આકસ્મિક ઘટના છે કે આત્મહત્યા કરી

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળીબારમાં સેનાના ચાર જવાનોના મોત બાદ વધુ એક મોટી ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયું છે. 

હાલ કહેવામાં આવી રહ્યું છે કે ડ્યુટી પર રહેલા એક જવાનએ અચાનક પોતાની રાઈફલમાંથી ફાયરિંગ થયું જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મળતી જાણકારી  મુજબ જવાનની ઓળખ લઘુરાજ તરીકે થઈ છે અને મૃતક જવાનના મૃતદેહને ભટિંડાની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જો કે આ વિશે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે આ આકસ્મિક ઘટના છે કે પછી જવાને આત્મહત્યા કરી છે.

જણાવી દઈએ કે આ મિલિટ્રી સ્ટેશન પર ગઇકાલે એટલે કે બુધવારે વહેલી સવારે ચાર સૈનિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એ સમયે એ લોકો ભટિંડા લશ્કરી સ્ટેશનમાં તેમની બેરેકમાં સૂઈ રહ્યા હતા.  આ સાથે જ હત્યારાઓની હજુ સુધી ઓળખ નથી થઈ અને હત્યાના ઘણા કારણો જાણવામાં આવી રહ્યા છે. 

નોંધનિય છે કે હત્યાના સ્થળેથી મળી આવેલા હથિયારો અને INSAS રાઈફલના 19 ખાલી શેલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે જ 9 એપ્રિલના રોજ સ્ટેશનના શસ્ત્રાગારમાંથી 28 રાઉન્ડના મેગેઝિન સાથેની રાઈફલની ચોરી થઈ હતી અને સેનાએ ભટિંડામાં પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. આ સાથે જ આઈપીસીની કલમ 302 અને આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એ ચારેય સૈનિકો આર્ટિલરીની 80 મીડિયમ રેજિમેન્ટના હતા અને તેમાંથી ત્રણ ખાસ વાહનોના ડ્રાઇવર હતા જેઓ આર્ટિલરી ગન ખેંચતા હતા.

મળતી જાણકારી અનુસાર ભટિંડા કેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે બંને આરોપીઓએ સફેદ કુર્તા-પાયજામા પહેર્યા હતા અને તેમના ચહેરા કપડાથી ઢાંકેલા હતા. ચાર જવાનોની હત્યા કર્યા બાદ બંને જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે, જ્યારે સેના અને પોલીસ કડીઓ માટે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ