બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amidst the natural beauty in Madhyagir of Junagadh, Kankai Biraje is located near the river Shingwada
Dinesh
Last Updated: 07:22 AM, 7 January 2024
શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. મધ્ય ગિરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનુ મંદીર શકિતપુજાનું ઐતિહાસિક સ્થળ છે. પુરુષ નામધારી શિંગવડા નદીનાં ઉદગમ સ્થાન પાસે માં કનકાઈનુ ધામ આવેલું છે. ચારે બાજુના લીલી હરિયાળી વચ્ચે મોરલા ગળાનાં કટકા કરી કરીને "મલ્હાર" આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલો યાત્રાળુ, ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે. આજે દેવદર્શનમાં આપણે શકિતપીઠ કનકાઇ માતાજીના દર્શન કરીશું.
કુદરતના ખોળે અલૌકિક આનંદ અને પૂર્ણ શાંતિનો અહેસાસ
ગીરનુ જંગલ, લીલાછમ હરિયાળા ડુંગરા, એશિયાટિક સિંહોની ગર્જના અને પક્ષીઓનો કલરવ, સુંદર વન્ય પ્રાણીઓની અવર જવર. જૂનાગઢ જિલ્લાનાં મધ્યગીરમાં તુલસીશ્યામથી આશરે 22 કિલોમીટર દુર કુદરતી સૌદર્યની વચ્ચે શિંગવડા નદી પાસે માં કનકાઈ બિરાજે છે. મધ્ય ગીર માં બિરાજતા મા કનકાઈ નું આ મંદિર 1475 વર્ષ પહેલાનું છે. જેનો ઉલ્લેખ સ્કંધ પુરાણના 9 માં અધ્યાયમાં જોવા મળે છે. જે મુજબ "કનક એટલે સોનુ. મા કનકાઈ સુવર્ણ જેવી કાંતિ ધરાવે છે.
દેશવિદેશથી માઁ કનકાઈના દર્શનાર્થી આવે છે
દેશવિદેશથી દર્શનાર્થી માઁ કનકાઈના દર્શન કરવા કુદરતના ખોળે આવી અલૌકિક આનંદ અને પૂર્ણ શાંતિનો અહેસાસ કરે છે. કનકાવટી નગરી ના રાજા કનકસેન માઈભક્ત હતા. પ્રજા વત્સલ ધાર્મિક રાજા કનકસેને પોતાની સુવર્ણ જડિત નગરીની સુખસમૃદ્ધિ જળવાઈ રહે અને પ્રજાનું હંમેશા કલ્યાણ થાય તેવા શુભ આશય થી મા કનકાઈ ની આરાધના કરી. કઠોર તપસ્યા ને અંતે માતાજી પ્રસન્ન થયા અને કનકસેન રાજાની લાગણી ને ધ્યાને લઇ આ જગ્યાએ સાક્ષાત સ્વરૂપે માતાજી બિરાજ્યા.
વાંચવા જેવું: વાસી ઉત્તરાયણ પછી આ 3 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય: મકર રાશિમાં આવી જશે સૂર્ય, જાણો કોને થશે લાભ
કંસને આકાશવાણી કરી ચેતવણી આપી હતી
માઁ કનકાઈ ભગવાન શ્રીકૃષ્ણના બહેન હતા તેવી પણ એક લોક વાયકા છે.દેવકીનું સાતમું સંતાન માઁ કનકાઈએ કંસને આકાશવાણી કરી કહેલું 'તારો કાળ જન્મી ચુક્યો છે. વનવાસ દરમ્યાન અહીં ગીર જંગલમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોના હસ્તે પ્રથમ યજ્ઞ કરાવ્યો હતો. 84 જ્ઞાતિના કુળદેવી હોઈ દરરોજ કોઈને કોઈ વ્યક્તિ કે પરિવાર માતાજીની માનતા અને દર્શને પધારી માના ગરબા અને સ્તુતિ ગાઈ આરાધના અને અનુષ્ઠાન કરે છે
દુખિયાના દુખ હરનારી
કનકાઈમાંનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત 1864 માં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ લગભગ 142 વર્ષ પછી લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી વિક્રમ સંવત 2006માં એક સમિતિની રચના કરી મંદીરનો જીર્ણોધાર કરવામાં આવ્યો અને સંવત 2008 તારીખ૦3/03/1952 ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમાં હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. મધ્યગીરમાં આવેલા માં કનકાઈના મંદિરે મુખ્યત્વે ત્રણ ઉત્સવ ઉજવવામાં આવે છે.ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી અને માતાજીનો પાટોત્સવ. આ સમય દરમ્યાન લાખો ભક્તો દર્શનાર્થે આવી હોમ-હવન અને યજ્ઞાદીનો લાભ મેળવે છે. દુખિયાના દુખ હરનારી ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી સુવર્ણ જેવી કાંતિ ધરાવતી માં કનકાઈની કૃપા દરેક પર ભક્તો પર વરસતી રહે જય કનકાઈ માં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir