બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Kishor
Last Updated: 11:35 PM, 13 July 2023
28 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં વાયરલ હેપેટાઇટિસ વિશે જાગૃતિ લાવવા અને માર્ગદર્શન માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહત્વનું છે કે હેપેટાઇટિસ એ લીવરનો રોગ છે. જેનો શિકાર બનેલા લોકોના લીવરમાં સોજા આવી જાય છે અને વાયરલ ચેપને કારણે લોકો આ રોગના ભરડામાં આવી જતા હોવાનું તબીબો દવો કરે છે. મહત્વનું છે કે હેપેટાઈટીસમાં 5 પ્રકારના વાયરસ હોય છે, જેમ કે- A, B, C, D અને E. જેના વિશે મોટાભાગના લોકો માહિતગાર હશે. પરંતું આલ્કોહોલિક હેપેટાઇટિસ વિશે ભાગ્યે વાંચ્યું સાંભળ્યું હશે?
આવા છે આલ્કોહોલિક હેપેટાઇટિસના લક્ષણો
આલ્કોહોલના બેફામ સેવનને પગલે લીવરમાં બળતરા કે સોજો આવવાની સમસ્યા માથું ઊંચકતી હોય છે. બાદમાં જેને લઈને લીવરના કામમાં પણ વિક્ષેપ ઉભો થાય છે. ઉપરાંત સારવારમાં વિલંબ થાય તો સમસ્યા વધવા લાગે. છે અને બાદમાં લીવર ધીમે ધીમે બગડવા માંડે છે જેને આલ્કોહોલિક હેપેટાઇટિસ કહેવામાં આવે છે. અમુક સંજોગોમાં આંખોનો સફેદ ભાગ પીળો દેખાવા લાગે છે જેને કમળો કહે છે.
બચવા આટલું કરો
આલ્કોહોલિક હેપેટાઇટિસ લક્ષણોની વાત કરવામાં આવે તો તાવ ઉપરાંત વધુ પડતો થાક લાગવો તથા એકાએક વજન ઘટી જાય છે. તેમજ લીવરમાં સોજા આવી જવા અને જેને પરિણામે ખૂબ દર્દ તથા અત્યંત કમજોરી સહિતના આ રોગના લક્ષણો છે. જેનો સમયસર સારવાર કરાવી લેવી હિતાવહ છે.દારૂનું સેવન કરવું તેને સીધો લીવર સાથે સંબંધ હોય છે. ત્યારે દારૂનું સેવનથી બચવું જોઈએ અને ખાસ બીમારીને લઈને જો દવા લેવી જરુરી બને તો તબીબની સલાહ લેવી જોઈએ. વધુમાં આ સમસ્યાને લઈને સમાન્ય કરતા વધુ વજન પન વધી શકે છે. ત્યારે યોગ્ય વ્યાયમ કરીને વજનને કાબુમાં રાખી શકાય છે. યોગ્ય ખાણીપીણી અને કસરતને લઈને આવા ગંભીર રોગથી બચી શકાય છે.
હિપેટાઇટિસ Aના સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે ઘણી રીતો છે. જેવી કે,
1. સ્વચ્છ પાણી પીવો અને ખોરાકને સારી રીતે રાંધો. કાચું માંસ અને ગોકળગાય ખાવાનું ટાળો. ફળો અને શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવા.
2. શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તમારા હાથ સાબુ અને પાણીથી ધોવાની ખાતરી રાખો. તે સિવાય બાળકની ડાયપર બદલ્યા બાદ, ખોરાક તૈયાર કરતા અને ખાતા પહેલા, સાબુથી હાથ ધોવા.
3. તમારા ઘરમાં અને તેની આસપાસ સ્વચ્છતા રાખો.
4. તમારા બાળકને હિપેટાઇટિસ A વેક્સિન જરૂર અપાવો.
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir