બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 12:56 PM, 21 April 2023
આ વર્ષે 22 એપ્રિલના રોજ શનિવારે અક્ષય તૃતીયા છે. સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2023) નું અલગ મહત્ત્વ છે. કહેવામાં આવે છે કે, લગ્ન તથા અન્ય માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત ના મળે તો આ દિવસે શુભ કાર્ય કરી શકાય છે. આ દિવસે માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેમને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે સોનુ ના ખરીદી શકાય તો રાશિ અનુસાર અન્ય ધાતુની ખરીદી પણ કરી શકાય છે. આ દિવસે રાશિ અનુસાર કઈ ધાતુની ખરીદી કરી શકાય તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
રાશિ અનુસાર ધાતુની ખરીદી
મિથુન અને કન્યા- આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે કાંસાના વાસણ- થાળી અને લોટાની ખરીદી કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી નોકરી અને બિઝનેસમાં નફો થઈ શકે છે.
મકર- આ રાશિના જાતકો અક્ષય તૃતીયાના દિવસે સોનાના આભૂષણની જગ્યાએ સ્ટીલના વાસણ અથવો લોખંડની વસ્તુ ખરીદવી જોઈએ. આ પ્રકારે કરવાથી ભગવાનના આશાર્વાદ પ્રાપ્ત થશે અને મનને શાંતિ મળશે.
વૃષભ અને કર્ક- આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે સોના અને ચાંદીના આભૂષણની ખરીદી કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી ઓફિસમાં તરક્કી થવાની સંભાવના છે.
ધન અને મીન- આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે સોના અને પિત્તળની વસ્તુ ખરીદવી જોઈએ. આ પ્રકારે કરવાથી જે પણ કામ અટકેલા હોય છે, તે કામ પૂર્ણ થાય છે.
વૃશ્વિક- આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે તાંબાની વસ્તુ ખરીદવી જોઈએ. આ પ્રકારે કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
મેષ અને સિંહ- આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે સોના અને તાંબાની ખરીદી કરો. આ પ્રકારે કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir