બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Air pollution in India is now a matter of concern Air quality is deteriorating day by day
Ronak
Last Updated: 03:30 PM, 8 November 2021
રાજધાની દિલ્હીમાં દિવાળી પછી ફરી એક વાર વાયુ પ્રદુષણ વધ્યું છે. આપને જણાવી દઈએ કે વાયુપ્રદુષણ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે. પરંતુ બાળકો માટે વાયુ પ્રુદુષણ જીવલેણ સાબિત થઈ શકે છે.
WHO અને યૂનિફેસે આપી ચેતવણી
દેશમાં જે રીતે વાયુ પ્રદુષણ વદી રહ્યું છે. તેને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમજ યૂનિસેફ દ્વારા પહેલાથીજ ચેતવણી આપી દેવામાં આવી છે. બંનેના કહેવા પ્રમાણે ભારતમાં વાયુ પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે જે ઘણી ગંભીર સમસ્યા છે. વાયુ પ્રદુષણને કારણે બાળકોના શરીર પર ગંભીર અસર પડી શકે છે. જેમા તેમના શરીરનો વિકાસ પણ રોકાઈ શકે છે.
બાળકોના ફેફસા માટે નુકશાનકારક
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે જે સ્થળોએ વાયુ પ્રદુષણનું પ્રમાણ વધારે છે ત્યાના બાળકોના ફેફસાને નુકશાન પહોચી શકે છે. જ્યા સુધી બાળકો મોટા નહી થાય ત્યા સુધી તેમના ફેફસા યોગ્ય રીતે કામ નહી કરે.
દર વર્ષે 1,30,000 બાળકોના મોત
યુનિફેસના કહેવા પ્રમાણે કોઈ બાળકો એક મીનીટમાં 20 થી 30 વખત શ્વાસ લે છે. સામાન્ય લોકો કરતા બાળકો વધારે સ્પીડે શ્વાસ લેતા હોય છે. તેજ રીતે નવજાત શીશુંની વાત કરીએ તો તે એક મિનિટમાં 30 થી 40 વખત શ્વાસ લે છે. આપણે જણાવી દઈએ કે ઝેરી હવાને કારણે ભારત સહિત દક્ષિણ એશિયામાં દર વર્ષે 1 લાખ 30 હજાર જેટલા બાળકોના મોત થયા છે.
આંખ , મગજ અને ફેફસા પર થાય છે ગંભીર અસર
પ્રદુષીત હવાથી જ્યારે બાળકો શ્વાસ લે ત્યારે તે હવા તેમના ફેફસામાં જાય છે અને બાદમાં તેમા રહેલા કણો લોહીમાં ભળી જાય છે. જે લોહી પછી આખા શરીરમાં ફરે છે. જેના કારણે બાળકો ગંભીર બિમારીનો શિકાર બનતા હોય છે. જેમા ખાસ કરીને બાળકોના ફેફસા , તેમની આંખો અને તેમના મગજ પર તેની ખરાબ અસર થતી હોય છે.
દિલ્હીમાં ગત વર્ષે 57 હજારના મોત
પર્યાવરણ સંગઠન ગ્રીનપીસના આકડા અનુસાર 2020માં દિલ્હીમાં વાયુ પ્રદુષણને કારણે 57 હજાર લોકોના મોત થયા હતા. જેથી પરિસ્થિતી ઘણી ગંભીકર કહી શકાય. ભારતમાં વધતું જતું વાયુ પ્રદુષણ હવે ચીંતાનો વિષય બન્યો છે. જેમા હવાની ગુણવત્તાને લઈને પણ 180 દેશોમાંથી ભારતનો નંબર 168મો આવે છે. શ્રીલંકાનો 109 , પાકિસ્તાનનો 142 અને નેપાળનો 145મો નંબર આવે છે.
વાયુ પ્રદુષણ બન્યો ગંભીર પ્રશ્ન
ઉલ્લેખનીય છે કે ભારતમાં વધતું જતું વાયુ પ્રદુષણ હવે એક ગંભીર પ્રશ્ન બન્યો છે. લોકોને શ્વાસ સંબંધી સમસ્યા વધી રહી છે. સાથેજ બાળકો માટે તો વાયુ પ્રદુષણ સૌથી ગંભીર છે. સાથેજ હવાવની ગુણવત્તા મામલે પણ ભારત અન્ય દેશોની તુલાનાએ ઘણો પાછળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir