બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Ahmed Patel's son's tweet heated up politics amid talk of alliance with Congress
Priyakant
Last Updated: 10:14 AM, 23 February 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા હવે ગુજરાતની ભરૂચ સીટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાતના INDIA ગઠબંધનમાં પણ સામાન્ય ચૂંટણીને લઈને જોરદાર જંગ જોવા મળી રહ્યો છે. અહીં ભરૂચ લોકસભા બેઠક પર સમસ્યા છે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જેને લઈને કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલનું મોટું નિવેદન આવ્યું છે. ફૈઝલે ભરુચ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો આગ્રહ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, જો આ સીટ AAPને આપવામાં આવશે તો તેઓ ગઠબંધનને સમર્થન નહીં આપે.
#WATCH | Gujarat: Faisal Ahmed Patel, Congress leader and son of Senior Congress leader late Ahmed Patel, says, " Congress is a democratic party and INDIA alliance is very important for our country. If Congress gets the candidature then only it will benefit Congress and INDIA… pic.twitter.com/N75luUEKnI
— ANI (@ANI) February 22, 2024
શું કહ્યું ફૈઝલ અહેમદ પટેલે ?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે, કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. INDIA ગઠબંધન આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળશે તો કોંગ્રેસ અને INDIA ગઠબંધનને જ તેનો ફાયદો થશે. કોંગ્રેસ માટે ભરૂચ જિલ્લામાં જીત મેળવવી ખૂબ જ સરળ રહેશે. AAPની તાકાત માત્ર એક વિધાનસભા સીટ પર છે. 2022માં AAPનો ગ્રાફ નીચે આવ્યો છે. હું માનું છું કે, ભરૂચ બેઠક કોંગ્રેસને જવી જોઈએ. અન્યથા હું આ INDIA ગઠબંધનને સમર્થન આપીશ નહીં.
આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારનું સમર્થન નહીં કરીએ. @INCIndia @INCGujarat
— Faisal Ahmed Patel (@mfaisalpatel) February 22, 2024
આમ આદમી પાર્ટીએ ભરૂચમાં જાહેર કર્યા છે ઉમેદવાર
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક પરની લડાઈ તેજ બની છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. AAPએ પક્ષના ધારાસભ્ય ચૈત્રા વસાવાને આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે સ્થાનિક કોંગ્રેસ નેતા આ પ્રસ્તાવને સ્વીકારતા નથી.
તો શું મુમતાઝ પટેલ ભાજપમાં જોડાશે ?
આ તરફ ભરૂચ બેઠકના રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે અહેમદ પટેલના પરિવારને ઓફર કરી છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. હું માનું છું કે, ભરૂચ કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલ હતા. હવે જ્યારે તેઓ નથી રહ્યા તેમની પુત્રીએ કોંગ્રેસને પ્રોજેક્ટ કરવો જોઈએ. પરંતુ કોંગ્રેસ નિશાન ચૂકી ગઈ છે. જો અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાષ્ટ્રીય વિચારધારા સાથે આવવા માંગે છે તો અમે તેમનું ભાજપમાં સ્વાગત કરીશું. હાલમાં ભરૂચ બેઠક પર ભાજપે વિરોધ પક્ષોના નેતાઓ માટે મંત્રણાના દરવાજા ખોલી દીધા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir