બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 03:40 PM, 5 February 2024
Bihar Politics : લોકસભા પહેલા બિહારમાં રાજકીય ડ્રામા બાદ ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે. આ વખતે જીતન રામ માંઝી નીતિશ કુમારથી નારાજ બન્યા હોવાનું સામે આવ્યું છે. બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા NDAમાં દબાણની રાજનીતિ ચાલી રહી છે. હિન્દુસ્તાન અવામ મોરચાના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના નિવેદનો નવી સરકારની ટેન્શન વધારી રહ્યા છે. વાત જાણે એમ છે કે, સોમવારે માંઝીએ જાહેર મંચ પરથી મંત્રાલયોની વહેંચણી પર પોતાનો અસંતોષ અને દુઃખ વ્યક્ત કર્યું છે. માંઝીએ કહ્યું કે, શા માટે અમને (HAM)ને કોઈ મોટો વિભાગ/મંત્રાલય આપવામાં આવતું નથી ? હું મંત્રી હતો ત્યારે પણ SC-ST મંત્રાલય આપવામાં આવ્યું હતું. હવે પુત્ર સંતોષને પણ આ જ વિભાગ આપવામાં આવ્યો છે.
બિહારમાં 28 જાન્યુઆરીએ બળવો થયો હતો અને NDAની સરકારમાં નીતિશ કુમાર 9મી વખત સીએમ બન્યા છે. 2 ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાને BJP ક્વોટામાંથી બનાવવામાં આવ્યા છે. અન્ય 5 મંત્રીઓએ શપથ લીધા. સંતોષ સુમનને પણ HAM ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા હતા. મંત્રાલયોની વહેંચણી થઈ ત્યારે નીતિશ કુમારે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું હતું. આ સિવાય સામાન્ય વહીવટ, કેબિનેટ સચિવાલય, મોનિટરિંગ, ચૂંટણી અને આવા તમામ વિભાગો જે કોઈને ફાળવવામાં આવ્યા નથી.
સમ્રાટને ફાઇનાન્સ, કોમર્શિયલ ટેક્સ, શહેરી વિકાસ અને આવાસ, આરોગ્ય, રમતગમત, પંચાયતી રાજ, ઉદ્યોગ, પશુ અને મત્સ્ય સંસાધન, કાયદો વિભાગ તો વિજય સિંહાને કૃષિ, માર્ગ બાંધકામ, મહેસૂલ અને જમીન સુધારણા, શેરડી ઉદ્યોગ, ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્ર, શ્રમ વિભાગ મળ્યો. સંસાધનો, કલા, સંસ્કૃતિ અને યુવા, લઘુ જળ સંસાધન, જાહેર આરોગ્ય ઇજનેરી વિભાગ આપવામાં આવેલ છે.
માંઝી પરિવારના ખાતામાં આવી રહ્યું છે આ મંત્રાલય
જીતન રામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમનને માહિતી ટેકનોલોજી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગ આપવામાં આવ્યો છે. અગાઉ જ્યારે સંતોષ મહાગઠબંધન સરકારમાં મંત્રી હતા ત્યારે પણ તેમને એસસી-એસટી કલ્યાણ આપવામાં આવ્યું હતું. આ સિવાય જ્યારે જીતનરામ માંઝી બિહાર સરકારમાં મંત્રી હતા ત્યારે તેમની પાસે આ મંત્રાલયની જવાબદારી પણ હતી.
શું અમે માર્ગ બાંધકામ વિભાગ સંભાળી ન શકીએ?
સોમવારે પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ આને મુદ્દો બનાવીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. મંત્રી સંતોષ સુમનને HAM ક્વોટામાંથી SC-ST કલ્યાણ વિભાગ મળવા અંગે માંઝીએ એક ઓપન ફોરમમાં કહ્યું કે, હું મંત્રી હતો ત્યારે પણ મને આ જ વિભાગ મળ્યો અને મારા પુત્ર સંતોષને પણ SC-ST કલ્યાણ વિભાગ મળ્યો. તેમણે પૂછ્યું - શું અમે રોડ નિર્માણ અને મકાન બાંધકામ વિભાગનું કામ ન કરી શકીએ? હું આનાથી દુઃખી છું. માંઝી રવિવારે ગયાના વજીરગંજમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. વાસ્તવમાં છેડછાડને કારણે બિહારના રાજકારણમાં વાતાવરણ ગરમાયું છે. HAM નવી સરકારમાં મહત્વનો વિભાગ લેવાનો પ્રયાસ કરી રહી છે અથવા વધુ એક મંત્રીની માંગણી આગળ ધપાવી રહી છે. જ્યારથી જીતનરામ માંઝી વિશે ચર્ચા થઈ રહી છે, ત્યારથી તેઓ મહાગઠબંધન કેમ્પના સંપર્કમાં છે. આવા અહેવાલો વારંવાર આવ્યા અને મંત્રી સંતોષ સુમને આ અહેવાલોને ફગાવી દીધા.
સંતોષે રાજીનામાની ચર્ચા અંગે શું કહ્યું ?
રવિવારે મોડી સાંજે પણ એવી ચર્ચા પ્રકાશમાં આવી હતી કે, માંઝીના પુત્ર સંતોષ સુમને નવી સરકારના કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચર્ચા એટલી વધી કે, બાદમાં સંતોષ સુમને પોતે ટ્વીટ કર્યું કે એવું કંઈ નથી અને હું NDA સાથે છું. અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જીતનરામ માંઝી તરફથી સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમને અન્ય કેમ્પમાંથી ડેપ્યુટી CM અને CMપદની ઓફર મળી રહી છે. તેમ છતાં તેઓ NDA સાથે ઉભા છે. હવે NDA સરકારમાં જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમનને જે વિભાગ (SC-ST કલ્યાણ વિભાગ) આપવામાં આવ્યું છે તે જ જૂનું મંત્રાલય છે જેની જવાબદારી અગાઉ મહાગઠબંધન સરકારમાં પણ સંતોષ પાસે હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir