બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / After the resignation of Pradipsinh Vaghela, there is some happiness and some sadness in the BJP
Dinesh
Last Updated: 07:28 PM, 12 August 2023
કેબિનેટ મંત્રીની સામે ભાજપના બે જૂથ બાખડ્યા
ગુજરાત ભાજપમાં જૂંથબંધી ચરમસિમાએ પહોંચ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જૂંથબંધીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ભાજપમાં જિલ્લા કક્ષાએ ચાલી રહેલો વિવાદ કેબિનેટ મંત્રીની સામે પણ પોહોંચ્યો છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના બે જૂથો કેબિનેટ મંત્રીના કાર્યાલયમાં ઝગડી પડ્યા હતા. જિલ્લામાં પક્ષના મુદ્દાઓ પર રજૂઆત કરવા એક જ સમયે બે જૂથ આવી જતા બન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે ઉત્તર ગુજરાતના જ એક સિનિયર નેતાએ દરમિયાનગીરી કરતા બન્ને જૂથ શાંત થયા હતા. કહેવાઈ રહ્યું છે કે, ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં ભૂતકાળમાં કેટલીક બાબતોને લઈ વિવાદ થયો હતો જે બાબતે જ બન્ને જૂથો મંત્રી સામે જ બાખડી પડ્યા હતા.
સપ્તાહ પહેલા પીએમ મોદી સાથે બેઠકમાં પ્રદિપસિંહ ઉપસ્થિત હતા?
ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. અંગત કારણોસર પ્રદિપસિંહ વાઘેલાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યાની વાત છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રદિપસિંહ વાઘેલાએ એક સપ્તાહ પહેલા જ રાજીનામું આપી દીધું હતું. એક સપ્તાહ પહેલા રાજીનામાની વાતને કોઈ સીધું સમર્થન પ્રદેશમાંથી આપી રહ્યું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, એક સપ્તાહ પહેલા જ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. PMના રાજભવનના રોકાણ દરમિયાન પ્રદિપસિંહ વાઘેલા સાથે તેમની મુલાકાત થઈ હતી જે ખૂબ સૂચક હતી અને ત્યારબાદ પ્રદિપસિંહ વાઘેલાએ પ્રદેશ મહામંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. પીએમ મોદી સાથે પ્રદિપસિંહ વાઘેલાની મુલાકાત તથા તેના કારણો બાબતે ખુલીને બોલવા કોઈ તૈયાર નથી. પરંતુ મુલાકાત બાબતે ગાંધીનગરમાં ચર્ચાઓ સચિવાલય સુધી થઈ રહી છે.
પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ભાજપમાં ક્યાંય ખુશી ક્યાંય ગમ!
પ્રદેશ ભાજપમાં ભાર્ગવ ભટ્ટ બાદ વધુ એક મહામંત્રી એટલે કે જેમના શીરે કાર્યાલય અને મહામંત્રીની જવાબદાર એવા પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું લેવાઈ ગયું છે. પ્રદિપસિંહએ રાજીનામું આપ્યા બાદ અનેક કાર્યકર્તાઓ એવા હતા કે, ટીમ પાટિલનો જાકારો મળ્યો હતો. તેમજ સરકાર કે સગઠનમાં સ્થાન સુધ્ધા મળ્યું નહોતું તેવા અનેક કાર્યકરોમાં હવે કમલમ દેખા દેતા નહોતા તે અચાનક ગેલમાં આવી ગયા હતાં. કેટલાક નેતાઓ પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ જાણે ઈડરિયો ગઢ જીત્યા હોય તેવી ખુશી અનુભવતા મિત્રો સાથે ભોજન અને મળવાનું પણ આમંત્રણ એક બીજાને પાઠવીને આ ખુશીની પળને યાદગાર બનવાનો અવસર ગણ્યો છે. જ્યારે પ્રદીપસિંહ વાઘેલાએ ટીમ પાટિલના પ્રત્યેક જિલ્લા, તાલુકા તેમજ મુખ્ય સંગઠનમાં કે મોરચાના સારા હોદ્દામાં પર તેમના મિત્રો કે મનીતાને હોદ્દા મળ્યા હતા. હવે પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ કોઈ નેતા ખૂણામાં રડતા તો ક્યાંય ગમગીન માહોલ છવાઇ ગયો હતો. ગમગીન બનેલા નેતા હવે તેમનું શું થશે તે ચિંતામાં સરી પડ્યા હતા.
ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી પરતું શિસ્ત વડાને આવકાર નહિ !
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળનો કાર્યક્રમ અમદાવાદના અસારવા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં અમદાવાદના અને રાજ્યના 23 સ્ટેશનો સમાવવાનો કાર્યક્રમ હતો. જેમાં ભાજપના નેતાઑ અને કાર્યકર્તાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણને માન આપી પૂર્વ મંત્રી અને ભાજપના શિસ્ત સમિતિના વડા વલ્લભ પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જો કે, કાર્યક્રમમાં આવ્યા પરંતુ કોઈએ આવકારના આપતા પ્રજા વચ્ચે બેસવાનો વારો આવ્યો હતો. પ્રજા વચ્ચે બેઠેલા જોઈ કાર્યકર્તામાં ગણગણા થયો કે સમિતિના વડાને કોઈ આવકારતું નથી. ક્યારેક આપની કોઈ પક્ષમાં ફરિયાદ આવશે તો આપણે હેરાન ન થાઈએએ તે બીકે કેટલાક કોર્પોરેટરો આગળ આવ્યા હતા. ખુદ શિસ્ત સમિતિના વડાને આવકાર આપીને આગળ બેસાડીને સનમાન આપ્યું હતું.
પૂર્વ બે મંત્રીઓનું શકિત પ્રદર્શન સાથે જાણે ટાઈગર જિંદા હે નો સંદેશ
અસારવા વિધાનસભામાં અમૃત ભારત હેઠળ રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના તમામ ધારાસભ્યો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને તમામ ધારાસભ્યો સ્પીચ આપી હતી. મુખ્યમંત્રીની સ્પીચ પૂર્ણ થયાને તુરત બે પૂર્વ મંત્રીઓ એન્ટ્રી મારી હતી. તેમના આવતાની સાથે સ્થાનિક કોર્પોરેટર, ભાજપના કેટલાક કાર્યકરો ભારત માતા કી જય જેવા નારા લગાવતાની સાથે આસપાસ થઈને એમને સ્ટેજ નીચે જ્યાં ભાજપના કોર્પોટેર અને નેતાઓ માટે બેઠક વ્યવસ્થા હતી ત્યાં લઈ ગયા હતાં. આ ઘટના અંગે સ્ટેજ પર બેઠેલા ધારાસભ્યો તેમજ મંત્રીગણ પણ સ્તબ્ધ થઈ ગયા હતાં. તો સ્ટેજ પરના કેટલાક પણ આ પ્રકારના પૂર્વ બે મંત્રીઓ એન્ટ્રી જોઈને ડઘાઈ ગયા હોય તેવું વાતાવરણ થોડી ક્ષણ માટે થઈ ગયું હતું. આ બંને પૂર્વ મંત્રીઓ સરકાર અને સંગઠન સાથે મહત્વના હોદા પર રહ્યા છે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં તક મળી નથી.
સિનિયર આઈપીએસ અધિકારી સરનામું ભૂલ્યા
ગાંધીનગરમાં અનેક વિભાગો કાર્યરત છે જેમાં સિનિયર અધિકારીઓ કર્મચારીઓ કામ માટે આવતા હોય છે. જિલ્લા કક્ષાએ સેન્ટરો પરથી સિનિયર અધિકારીઓ તેમના વિભાગીય કચેરી તથા મંત્રીને મળવા આવતા હોય છે. આવી જ એક ઘટના ગાંધીનગર સ્વર્ણિંમ સંકુલમાં બની હતી. જેમાં સિનિયર આઈપીએસ અધિકારી ગૃહરાજ્ય મંત્રીના કાર્યાલયને શોધતા હતા. સિનિયર આઈપીએસ અધિકારી સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પોહોંચી ગૃહરાજ્ય મંત્રીના કાર્યાલયને શોધતા હતા. જોકે ટેલિફોન પર પૂછપરછ કરતા તેમને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેઓ સ્વર્ણિમ સંકુલ 1 પરથી સ્વર્ણિમ સંકુલ 2 પર પેહોંચ્યા હતા. જોકે જાણવા પ્રમાણે તેઓ વિભાગની કેટલીક બાબતોને લઈ બેઠકમાં ભાગ લેવા પોહોંચ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir