બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / સુરત / Accused who fled to Jaunpur after killing Babu and Bhola in Surat reveals about bloody battle
Mehul
Last Updated: 08:05 PM, 25 December 2021
સુરતના પાંડેસરામાં ચકચારી ડબલ મર્ડર કેસમાં ફરાર આરોપીઓને પોલીસે તેમના વતન ઉત્તર પ્રદેશના જોનપુરથી ઝડપી લીધા હતા. શુક્રવારે બંનેને સુરત લાવી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં આરોપીઓના માથા ઉપર ભાઇગીરીનો નશો ચડ્યો હોય તેમ જેની હત્યા થઇ હતી તે પ્રવિણે આરોપીના મિત્રને ચાર મહિના પહેલાં તમાચો માર્યો હતો. તેની અદાવતમાં બે હત્યા કરી દેવાઈ હતી.
હત્યા બાદ ઉત્તરપ્રદેશ ભાગ્યા
પાંડેસરા તેરે નામ રોડ ઉપર ગાયત્રી સોસાયટીમાં રહેતાં અને માથાભારે વ્યક્તિ તરીકે પંકાયેલો પ્રવિણ ઉર્ફે મારવાડી બાબુ સોલંકી અને ફાયનાન્સનો ધંધો કરતાં શિવશંકર ઉર્ફે ભોલા સુભાષચંદ્ર જયસ્વાલને જય જવાન કિશાન સોસાયટીમાં આવેલી એક ચાની કેન્ટીન ઉપર શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યે 22 વર્ષીય કિશનસિંહ મનોજસિંહ રાજપૂત અને તેના મિત્ર સચીન ઉર્ફે વિશાલ અમર બહાદુરસિંહએ ચપ્પા તથા કડછા વડે હુમલો કરી ઘાતકી હત્યા કરી નાંખી હતી. આ હત્યા બાદ બંને તેમના વતન ઉત્તર પ્રદેશ ભાગી છૂટ્યા હોવાની વિગતો વચ્ચે પોલીસે એક ટીમ ત્યાં રવાના કરી હતી.
કેવી રીતે કરી હત્યા
પાંડેસરા પોલીસે બંનેને ઉત્તર પ્રદેશના જોનપુરથી ઝડપી લીધા હતા. જેમને આજે સુરત લાવવામાં આવ્યા હતા. આરોપી કિશનસિંહની કબુલાત પ્રમાણે ચાર મહિના પહેલાં તેના મિત્ર દીલીપનો ઝઘડો પ્રવિણના એક સાગરિત સાથે થયો હતો. તે વખતે પ્રવિણ ત્યાં આવ્યો હતો અને દીલીપને તમાચો માર્યો હતો. દીલીપે આ વાત કિશનસિંહને જણાવતાં તે પ્રવિણને ધમકી આપતો હતો. કમજોર માણસને શું કામ મારે છે તેમ કહી ફોન તથા આઇ.ડી. બનાવી પ્રવિણસિંહને ધમકી આપવાની સાથે તેની બહેનનાં ચારિત્ર્યને લઇને પણ બદનામ કરતો હતો. આ વાત પ્રવિણસિંહ અને તેના મિત્ર ભોલાને ખબર પડી જતાં તેમને વચ્ચે ઝઘડો થયા બાદ કિશનસિંહ હંમેશાં ચપ્પુ લઇને ફરતો હતો. જ્યાં પ્રવિણ અને ભોલાની હત્યા કરી હતી ત્યાં તેમની વર્ષોથી બેઠક હોવાની વાતથી પણ આરોપી વાકેફ હતો.
કેવી રીતે ભાગ્યા યૂપી
બેઠકના સ્થાન સહિતની જાણકારી રાખતા આરોપી હત્યા કર્યા બાદ મિત્રને ત્યાં રાત રોકાયા બાદ એક મિત્ર તેમને સહરા દરવાજા સુધી બાઇક ઉપર મૂકી ગયો હતો. ત્યાંથી બંને કડોદરા અને ત્યાંથી કીમ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસી સીધા જોનપુર જવાને બદલે પહેલાં હનુમના સ્ટેશન ઉતરી ગયા હતા. -જ્યાંથી ખાનગી વ્હીકલમાં મિર્ઝાપુર પહોંચ્યા હતા, મિર્ઝાપુરથી બીજાં વાહનમાં વારાણથી અને ત્યાંથી વધુ એક વાહન બદલ જોનપુર પહોંચ્યા હતા. અહીં પોતાના ઘરે જવાને બદલે મિત્રને ત્યાં રોકાયા હતા, હત્યા. કરાઇ હતી તે ચપ્પુ સચીન વિસ્તારમાં ફેંકી દીધાની કબુલાત કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir