બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Malay
Last Updated: 03:12 PM, 13 October 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા મામલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મોટું વચન આપ્યું છે.
ભાજપે પાટીદાર યુવાનો પર ગુજાર્યા છે અત્યાચારઃ ઈસુદાન
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે ભાજપ પાટીદાર આગેવાનોને પાર્ટીમાં સમાવતી હોય છે. તમે જોયું હશે 2017માં કેટલા પાટીદાર નેતાઓને ભાજપે સમાવ્યા અને તેમની શું હાલત કરી. ત્યારે પાટીદાર વિરોધી ભાજપની છાપ પડી ગઈ છે, એ છાપ ન રહે અને થોડાઘણા મતો તેમને મળે એટલા માટે પાટીદાર યુવાનોનો ફરીથી દુરપયોગ કરવાનું ભાજપ વિચારી રહ્યું છે. ભાજપને અલ્પેશભાઈ બહુ સારી રીતે જાણે છે. ભાજપે અલ્પેશભાઈ સહિત તમામ પાટીદાર યુવાનો ઉપર અત્યાચાર ગુજાર્યા છે. તેમને વારંવાર જેલોમાં ધકેલ્યા છે. 13-13 યુવાનોને ગોળીએ ધરબી દીધા છે. તેમના માતા-પિતા આજે પણ રડી રહ્યા છે. તેમને શહીદનો દરજ્જો પણ નથી આપ્યો.
હવે એક પણ પાટીદાર યુવાન ભાજપની જાળમાં નહીં ફસાયઃ આપ નેતા
તેમણે જણાવ્યું કે, મારે તમામ પાટીદાર આગેવાન યુવાનોને કહેવાનું છે કે જિંદગીમાં મોકો વારંવાર નથી મળતો. આ હાર્દિક પટેલ ડરી ગયા અને ભાજપમાં જોડાઈ ગયા. પણ આજે હાર્દિક પટેલની શું હાલત છે. એમના પહેલા 2017માં ભાજપમાં જોડાયેલા પાટીદાર યુવાનોની શું હાલત છે. એટલે મને નથી લાગતું કે હવે એક પણ પાટીદાર યુવાન ભાજપની આ જાળમાં ફસાય. ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી એ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સુધારવા માટે છે. આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનો માટે, બેરોજગાર યુવાનો માટે, ગુજરાતના આશાસ્પદ યુવાનો માટે લડી રહી છે. આપ ખેડૂતો અને કર્મચારીઓ માટે લડી રહી છે.
AAP નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરીશ્રી ઈસુદાન ગઢવીની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ #LIVE https://t.co/pyPNlHsD0e
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 13, 2022
સરકાત બનતાની સાથે કેસો પરત ખેંચાશેઃ ઈસુદાન ગઢવી
પાટીદાર આંદોલન, ખેડૂત આંદોલન, માલધારી આંદોલન, આદિવાસી આંદોલન, એલઆરડી મહિલા-પુરુષ આંદોલન, કરણી સેનાના આંદોલન દરમિયાન જેટલા કેસો થયા છે, આ તમામ કેસો આમ આદમીની સરકાર બનતાની સાથે પરત ખેંચાશે.
ભાજપમાં જોડાવા મુદ્દે અલ્પેશ કથીરિયાની સ્પષ્ટતા
અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયાના ભાજપમાં જોડવાની ચાલી રહેલી અટકળો વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, 'મારૂં ભાજપમાં જોડાવું તે માત્ર અફવા છે. ભાજપમાં જોડાવા અંગે PASSએ કોઇ નિર્ણય નથી લીધો. શહીદ પરિવારને નોકરી આપવી અમારી માંગ છે. કેસો પરત ખેંચાયા બાદ જે નિર્ણય લેવો હશે તે લઇશું. અત્યારે અમે કોઈ રાજકીય નિર્ણય લીધો નથી. શહીદ થયેલાના પરિવારજનોને નોકરી મળે અને પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસ પરત ખેંચવામાં આવે એમ આ બંને મુદ્દાનો જો ઉકેલ આવે તો રાજકારણમાં જવા અંગે વિચારીશું. સતા, પક્ષ કે વિપક્ષ જે પણ આ બંને મુદ્દાનો હલ લાવશે તેમની સાથે જવા અંગે અમે વિચારીશું.' આમ, અલ્પેશ કથિરીયાએ વાયરલ મેસેજને અફવા ગણાવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir