બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Priyakant
Last Updated: 02:59 PM, 14 July 2023
ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક મુસાફરો મનાલી-કેદારનાથમાં ફસાઈ ગયા છે. આ દરમિયાન મનાલી કુદરતી આફતમાં ફસાયેલા વડોદરાના પરિવારે ત્યાની સ્થિતિ અને પોતાની આપવીતી જણાવી છે. વડોદરા શહેરના મકરપુરામાં રહેતા પરિવારે કહ્યું કે, તેમણે 52 કલાક કારમાં જ વિતાવ્યા હતા. નોંધનિય છે કે, મનાલીમાં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં પરિવાર ફસાયો હતો. જોકે 2 દિવસ બાદ સલામત બહાર નીકળતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
મનાલી કુદરતી આફતમાં વડોદરાનો પરિવાર ફસાઈ ગયો હતો. આ તરફ ભારે વરસાદ વચ્ચે તેમણે 52 કલાક કારમાં વિતાવ્યા હતા. નોંધનીય છે કે, મનાલીમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને લઈ પરિવાર ફસાયો હતો. જોકે હવે તોફાન શાંત થતા બે દિવસ બાદ સલામત બહાર નીકળતા પરિવારે આપવીતી કહી છે.
શું કહ્યું પરિવારની મહિલાએ ?
અમે લોકો સતત કારમાં બેસી રહ્યા હતા, અમે ચાર લોકો અને ડ્રાઈવર અને સામાન આ બધુ કારમાં જ હોઇ પગ પણ સીધા નહોતા કરી શકતા. કારમાં આટલા બધા કલાક કાઢવા બહુ જ મુશ્કેલીનું કામ હતું. બહાર સતત વરસાદ અને ઠંડી પણ ખૂબ હોય ડર પણ બહુ લાગતો હતો. અમારાથી 50 મીટર દૂર પથ્થર પડી રહ્યા હતા. આ બધુ જોઈ વધુ બીક લાગતી હતી.
શું કહ્યું પરિવારના મોભીએ ?
પરિવારના મોભીએ જણાવ્યું કે, અમે કલાકોથી કારમાં બેસ્યા હતા એટલે ચિંતા તો થતી હતી. આ સાથે ત્યાં હાજર પોલીસકર્મીઓએ પણ કહ્યું હતું કે, એકવાર વરસાદ બંધ થઈ જાય તો વધુમાં વધુ 4 થી 8 કલાકમાં બધાને નિકાળી દેશે. તેમણે ઉમેર્યું કે, ગામવાળાઓએ પણ ઘણો સ્પોર્ટ કર્યો. તેમણે બધા માટે જમવાની વ્યવસ્થા પણ કરી લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir