બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / રાજકોટ / A devotee of Dwarkadhish has been walking backwards continuously for 1 month and 1 day, the purpose of doing this is special.
Vishal Khamar
Last Updated: 07:20 PM, 19 March 2023
કોરોના અને લમ્પી વાઇરસથી દેશના નાગરિકો અને પશુઓને રક્ષણ મળે તે માટે ગોધરાથી દેવભૂમિ દ્વારકા ઊંધા પગે ચાલીને જવા નીકળેલા ગોધરાનાં 66 વર્ષીય વૃદ્ધ જામનગર પહોચ્યા હતા. ત્યારે તેમનાં મોઢામાં ભગવાન દ્વારકાધીશનું નામ, હાથમાં ધજા અને ઉંધા પગે ચાલતા ચાલતા જતા વૃદ્ધની ભગવાન પ્રત્યેની આસ્થાનાં દર્શન થાય છે. ત્યારે ભગવાન દ્વારકાધીશનાં પરમ ભક્ત 66 વર્ષીય વૃદ્ધ વાલાભા લાખાભા પાલિયા ઉંધા ભાગે ચાલીને દેવભૂમિ દ્વારકાની જાત્રાએ નીકળ્યા છે.
યાત્રામાં છ મિત્રો પણ તેઓની સાથે નીકળ્યા
આવી કાળઝાળ ગરમીમાં 66 વર્ષની ઉંમરે વાલાભા લાખાભા પાલિયા પગપાળા ઊંધા પગે ચાલીને દ્વારકાની યાત્રાએ નીકળ્યા છે. ત્યારે આ યાત્રામાં તેઓની સાથે તેમનાં છ મિત્રો પણ સાથે નીકળ્યા છે.
કોરોનાં અને લમ્પી વાયરસથી લોકોને રક્ષણ મળે તે માટે દ્વારકા જવા નીકળ્યા
રાજ્યમાં પશુઓનાં લમ્પી વાયરસના કારણે મોત નિપજ્યા હતા. તેમજ કોરોનાં જેવી મહામારીથી લાખો નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે કોરોનાં અને લમ્પી વાયરસથી લોકોને રક્ષણ મળે તે માટે ગોધરાથી દ્વારકા ઊંધા પગે ચાલીને લાખાભા પાલિયા નામના 66 વર્ષના વૃદ્ધ જામનગર આવી પહોંચ્યા હતા. ત્યારે તેઓ ગત 18 ફેબ્રુઆરીનાં રોજ ગોધરાના નશિપુર ગામથી ઊંધા પગે ચાલીને દેવભૂમિ દ્વારકા જવા નીકળ્યા હતા.
અગાઉ પણ તેઓએ અનેક ધાર્મિક યાત્રાઓ કરી છે
આ બાબતે વાલાભાએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ પણ જાતની માનતા કે બાધા માની નથી. તેઓને અંતર આત્મામાંથી તેઓને ઈચ્છા થતા તેઓ દ્વારકાધીશનાં ધામે જવા નીકળ્યા હતા. ત્યારે તેઓ આટલું લાંબું અંતર કાપીને જામનગર પહોચ્યા હોવા છતાં તેઓને શરીરમાં ક્યાંય થાક કે પીડા જેવું લાગતું નથી. આ અગાઉ પણ તેઓએ અનેક ધાર્મિક યાત્રાઓ કરી હોવાનું જણાવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir