બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A child lost his life due to stray dogs in Gir Somnath
Kishor
Last Updated: 07:39 PM, 30 March 2023
રાજ્યમાં રાખડતા ઢોરની માફક રખડતા શ્વાનનો આતંક આસમાને જોવા મળી રહ્યો છે. જેના છાશવારે કિસ્સાઓ પ્રકાસમાં આવતા હોય છે. શ્વાનના આતંકને પગલે અનેક નિર્દોશ બાળકો ઉપરાંત વ્યક્તિઓના મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે. છતાં આ આતંક આજ સુધી અટક્યો નથી. આવી સ્થિતિ વચ્ચે ગીર સોમનાથમાં રખડતા શ્વાનને કારણે બાળક મોતના ખપ્પરમાં હોમાયો હોવાનું સામે આવતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.
ગિરસોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બાળક તેના મામાને ત્યાં આવ્યો હતો. આ દરમિયાન કોડીનાર રેલવે સ્ટેશન નજીક બાળક પર શ્વાને જીવલેણ હિમલો કર્યો હતો. જેને લઈને બાળકને ગંભીર ઇજા થવા પામી હતી.આથી તેને તાત્કાલીક સારવાર અર્થે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને પરિવારજનોમા કાળો કલ્પાંત ફેલાયો છે.
કન્યાસી ગામે શ્વાને ૩ બાળકો ઉપર હુમલો કર્યા હતો
બે દિવસ અગાઉ સુરત જિલ્લામાં રખડતાં શ્વાનનો આતંક સામે આવ્યો હતો. જેમાં ઓલપાડના કન્યાસી ગામે શ્વાને ૩ બાળકો ઉપર હુમલો કર્યા હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બાદમાં રોષએ ભરાયેલા ગ્રામજનોએ શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુરતમાં યુવાનનું થયું હતું મોત
બીજી તરફ સુરત લક્ષ્મી નગરમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો હતો. જેમાં રખડતા શ્વાનના હુમલા બાદ શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા યુવકનું મોત થયું છે. 28 વર્ષીય યુવકને રખડતા શ્વાને એક મહિનામાં બે વખત બચકા ભર્યા હતા. સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મી નગર ખાતે રહેતા 28 વર્ષના રાજન નામના યુવકને શ્વાને બચકા ભર્યા હતા. રાજનને શ્વાને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. યુવકને પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં અને બીજી વખત 21 માર્ચે શ્વાને બચકું ભર્યું હતું. ત્યારબાદ યુવાનું મોત નીપજતા પરીવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir