બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / A brain stroke is not less than a heart attack, it ends the game in a moment

હેલ્થ / હાર્ટ એટેકથી જરાય ઓછો નથી બ્રેઈન સ્ટ્રોક, પળવારમાં કરે છે ખેલ ખતમ, જાણો લક્ષણો અને બચવાના ઉપાય

Vishal Khamar

Last Updated: 07:44 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મગજની કોઈપણ નસમાં લોહીના અયોગ્ય પ્રવાહને કારણે અથવા નસ ફાટવા અથવા બ્લોકેજને કારણે સ્ટ્રોક થાય છે. જો સ્ટ્રોકના દર્દીને સમયસર સારવાર મળે તો તેનો જીવ બચાવી શકાય છે. જાણો સ્ટ્રોક શું છે, લક્ષણો, કારણો અને સારવાર.

  • મગજમાં કોઈ પણ નસ ફાટવાનાં કે બ્લોકેજને કારણે આવે છે સ્ટ્રોક
  • અમેરિકામાં દર વર્ષે 7 લાખ 95 હજાર લોકોને સ્ટ્રોકનો શિકાર બને છે
  • ભારતમાં પ્રતિ એક લાખ વ્યક્તિએ દર વર્ષે 150 લોકોને સ્ટ્રોકની સમસ્યાઃ રિસર્ચ

 જ્યારે મગજની રક્તવાહિનીઓ ફાટી જાય અને લોહી નીકળે અથવા મગજમાં લોહી પહોંચવામાં અવરોધ આવે સ્ટ્રોક ત્યારે થાય છે. રક્તવાહિની ફાટવાથી અથવા તેમાં કોઈ અવરોધ આવવાને કારણે મગજની નસો સુધી લોહી અને ઓક્સિજન પહોંચતું નથી. ઓક્સિજનની અછતને કારણે મગજના કોષો અને નસોને નુકસાન થાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર યુ.એસ.માં સ્ટ્રોક મૃત્યુનું મુખ્ય કારણ છે. એકલા અમેરિકામાં દર વર્ષે 7 લાખ 95 હજાર લોકોને સ્ટ્રોક આવે છે. ભારતની વાત કરીએ તો  અહીંયા સ્ટ્રોકએ મૃત્યુનું ચોથું મુખ્ય કારણ અને અપંગતાનું પાંચમું મુખ્ય કારણ છે. એક રિસર્ચ અનુસાર ભારતમાં પ્રતિ એક લાખ વ્યક્તિએ દર વર્ષે 150 લોકોને સ્ટ્રોકની સમસ્યા થાય છે. જો કે ભારત જેવા દેશમાં તેનો ચોક્કસ આંકડો નક્કી કરવો મુશ્કેલ છે. જ્યાં આજે પણ ઘણા લોકો સારવારના અભાવે ઘણા લોકો મૃત્યુ પામે છે અને કરોડો લોકો બોગસ ર્ડાક્ટરોનાં વિશ્વાસે રહે છે.

સ્ટ્રોક એક મેડીકલ ઈમરજન્સી છે અને શક્ય તેટલી વહેલી તકે સારવાર મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો સમયસર સારવાર મળી જાય તો વ્યક્તિનો જીવ તો બચાવી શકાય છે. અને મગજના વધુ નુકસાનને પણ ટાળી શકાય છે. યોગ્ય સારવારની મદદથી સ્ટ્રોકની સમસ્યામાં વિકલાંગતાથી પણ  બચી શકાય છે.

સ્ટ્રોક કેટલા પ્રકારનાં હોય છે?

Transient ischemic attack (TIA): આ પ્રકારના સ્ટ્રોકનું કારણ મુખ્યત્વે લોહી ગંઠાઇ જવાનાં કારણે થતી હોય છે. જે સામાન્ય રીતે લોહીમાં એની મેળે જ ઓગળી જાય છે.  10-15 ટકા સ્ટ્રોક ક્ષણિક ઇસ્કેમિક હુમલા છે. 

Ischemic stroke: આ પ્રકારનો સ્ટ્રોક ધમનીમાં લોહીના ગંઠાવા અથવા ધમનીમાં પ્લેક જમા થવાનાં કારણે આવેલ અવરોધને કારણે થાય છે. ઇસ્કેમિક સ્ટ્રોકના લક્ષણો અને તેની જટીલતા TIA ની તુલનામાં ખૂબ લાંબા સમય સુધી રહે છે. અને તે કાયમી પણ હોઈ શકે છે. CDC મુજબ લગભગ 87 ટકા સ્ટ્રોક ઇસ્કેમિક સ્ટ્રોક છે.

Hemorrhagic stroke: આ સ્ટ્રોકને રક્તસ્ત્રાવી(હેમરેજ) સ્ટ્રોક પણ કહેવામાં આવે છે. મગજમાં રહેલી કોઈપણ રક્તવાહિની ફાટવાથી કે લીક થવાને કારણે મગજમાં રક્તસ્ત્રાવ થવાને કારણે હેમરેજિક સ્ટ્રોક થાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ 13 ટકા સ્ટ્રોક હેમરેજિક છે.

સ્ટ્રોકના લક્ષણો શું છે?
મગજમાં લોહીના પ્રવાહના અભાવને કારણે, મગજની અંદરના નસો અને કોષોને નુકસાન થાય છે. મગજનાં જુદા જુદા ભાગો શરીરના જુદા જુદા અંગોને નિયંત્રિત કરે છે. સ્ટ્રોકના લક્ષણો શરીરના તે ભાગો પર દેખાય છે, જે મગજના તે ભાગ દ્વારા નિયંત્રિત થાય છે. ત્યારે સ્ટ્રોકનો ભોગ બને વ્યક્તિને જેટલી જલ્દી સારવાર અને યોગ્ય કાળજી મળે છે. તેટલું સારું પરિણામ દેખવા મળશે. આ જ કારણ છે કે સ્ટ્રોકના લક્ષણો વિશે સમજવું મહત્વપૂર્ણ છે. જેથી તમે કટોકટીની સ્થિતિમાં ઝડપથી કાર્ય કરી શકો.

સ્ટ્રોકના લક્ષણો

  • લકવો(Paralysis)
  • હાથ, પગ અને ચહેરાની નિષ્ક્રિયતા અથવા નબળાઇ, ખાસ કરીને શરીરની એક બાજુ
  • બોલવામાં તેમજ બીજાને સમજવામાં સમસ્યા થવી
  • બોલવા પર ભાષા સમજવામાં તકલીફ પડવી
  • વર્તનમાં અચાનક બદલાવ આવવો
  • દ્રષ્ટિની સમસ્યાઓ, ખાસ કરીને એક આંખે અથવા બંને આંખે દેખવાની સમસ્યા, આંખોની સામે કાળા ડાઘ અથવા અસ્પષ્ટ દ્રષ્ટિ, બેવડી દ્રષ્ટિ જેવી સમસ્યાઓ
  • ચાલવામાં મુશ્કેલી. (સ્ટ્રોકનું આ જોખમી લક્ષણ છે.  તેનાં વિશે જાણી લેજો જેથી તમારી નજીકનાં વ્યક્તિને બચાવી શકો)
  • સંતુલન અને સંકલન સાથે સમસ્યાઓ
  • ચક્કર આવવા
  • કોઈ કારણ વગર અચાનક અને તીવ્ર માથાનો દુખાવો
  • ઉલટી અને ઉબકા આવવા

જ્યારે સ્ટ્રોક આવે છે, ત્યારે તાત્કાલિક સારવાર જરૂરી છે. જો સ્ટ્રોકના લક્ષણો તમારામાં અથવા તમે જાણતા હો તો તરત જ ઈમરજન્સી નંબર પર ફોન કરો અને આરોગ્ય સેવાઓ લો. ડોક્ટરો તમને યોગ્ય સમયે યોગ્ય સારવાર આપીને નીચેની કેટલીક સમસ્યાઓથી બચાવી શકે છે

  • મગજને નુકસાન (Brain Damage)
  • લાંબા ગાળાની અપંગતા(Long-term Disability)
  • મૃત્યુ(Death)

મગજનો સ્ટ્રોક શા માટે થાય છે?

બ્રેઈન સ્ટ્રોકનું કારણ શું છે, તે તેના પ્રકાર પર નિર્ભર કરે છે. સ્ટ્રોકના ત્રણ પ્રકાર છે, જેના વિશે અમે તમને ઉપર જણાવ્યું છે. આને બીજા ઘણા ભાગોમાં પણ વિભાજિત કરી શકાય છે.

  • એમ્બોલિક સ્ટ્રોક (embolic stroke)
  • થ્રોમ્બોટિક સ્ટ્રોક (thrombotic stroke)
  • ઇન્ટ્રાસેરેબ્રલ સ્ટ્રોક (intracerebral stroke)
  • સબરાક્નોઇડ સ્ટ્રોક (subarachnoid stroke)

શરીર પર દરેક પ્રકારના સ્ટ્રોકની અસર પણ અલગ-અલગ હોય છે. તેની સારવાર અને રિકવરી પ્રોસેસ પણ અલગ-અલગ હોય છે. સ્ટ્રોક મગજની નસમાં બ્લોકેજ ફાટવાનાં કારણે થાય છે.

સ્ટ્રોકના જોખમી પરિબળો શું છે?
અમુક જોખમી પરિબળો તમને સ્ટ્રોક માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. યુ.એસ.માં નેશનલ હાર્ટ, લંગ અને બ્લડ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, સ્ટ્રોક માટે જોખમી પરિબળો આ છે.

  • ડાયેટ
  • જો તમે અસંતુલિત આહાર લો છો તો તમને સ્ટ્રોકનો ખતરો હોઈ શકે છે. 
  • આ ચીજ વસ્તુનો અસંતુલિત આહારમાં સમાવેશ થાય છે -
  • મીઠાનો વધુ પડતો ઉપયોગ
  • સંતૃપ્ત ચરબી
  • વધારાની ચરબી
  • કોલેસ્ટ્રોલ
  • નિષ્ક્રિયતા
  • વ્યાયામ ન કરવો અથવા ન કરવો એ પણ સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

અતિશય દારૂનું સેવન
વધુ પડતું પીવાથી સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે. જો તમે આલ્કોહોલ પીતા હો, તો ઓછી માત્રામાં પીવો. ઓછી માત્રાનો અર્થ છે કે સ્ત્રીઓ માટે દિવસમાં એક કરતાં ડ્રિંક અને પુરુષો માટે 24 કલાકમાં 2 ડ્રિંકથી વધુ નહીં. આલ્કોહોલનું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર વધારી શકે છે. તે ટ્રાઇગ્લિસેરાઇડનું સ્તર પણ વધારે છે. જેના કારણે ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે લોહીનો પ્રવાહ અવરોધાય છે.

તમાકુનો ઉપયોગ
કોઈપણ સ્વરૂપમાં તમાકુનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. તમાકુનું સેવન રક્તવાહિનીઓ અને હૃદયને નુકસાન પહોંચાડે છે, જેના કારણે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તમાકુમાં હાજર નિકોટિન પણ બ્લડ પ્રેશર વધારે છે.

પારિવારિક ઇતિહાસ
કેટલાક અંગત કારણો પણ સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. જેમાં કૌટુંબિક ઇતિહાસ સૌથી મહત્વપૂર્ણ છે.  કેટલાક પરિવારોમાં આનુવંશિક સ્વાસ્થ્યનાં કારણો  જેવા કે  બ્લડ પ્રેશરનાં કારણે સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. આ સિવાય સ્ટ્રોકનો ખતરો પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં વધુ હોય છે.  વધારે ઉંમરમાં સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પણ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જુઓ તેનાં કારણો

  • ભૂતકાળમાં સ્ટ્રોક અથવા TIA થયો હોય
  • હાઈ બ્લડ પ્રેશર
  • ઉચ્ચ કોલેસ્ટ્રોલ
  • ખૂબ વધારે વજન હોવું (સ્થૂળતા)
  • હૃદય સંબંધિત કેટલીક સમસ્યાઓ જેમ કે કોરોનરી આર્ટરી ડિસીઝ.
  • હૃદયના વાલ્વમાં ખામી
  • હૃદયના ચેમ્બરનું વિસ્તરણ અને અનિયમિત ધબકારા
  • સિકલ સેલ રોગ
  • ડાયાબિટીસ
  • લોહી ગંઠાઈ જવાની વિકૃતિ
  • સ્ટ્રોકની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

હેમોરહેજિક સ્ટ્રોક

મગજની નસ ફાટવા અથવા લીક થવાને કારણે હેમરેજિક સ્ટ્રોક થાય છે. અને તેના માટે ડોકટરોએ વિવિધ પ્રકારની સારવાર નક્કી કરવી પડે છે. તેની સારવાર માટે બ્લડ પ્રેશર ઘટાડવા માટે દવાઓ આપવામાં આવે છે. વાઈના હુમલાને રોકવા માટે દવાઓ આપવામાં આવે છે. રક્તવાહિનીઓના સંકુચિતતાને અટકાવવામાં આવે છે. તેના ઓપરેશનમાં, ડોકટરો નબળી નસમાં અથવા જ્યાં હેમરેજિક સ્ટ્રોક થયો હોય ત્યાં લાંબી નળી લઈ જાય છે.  ત્યાં તેઓ કોઇલ જેવું ઉપકરણ મૂકે છે. જેથી રક્ત નસની બહાર વધુ ન ફેલાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ