બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 7 members of same family swallowed poison in deesa

બનાસકાંઠા / ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા, તમામને સારવાર અર્થે ખસેડાયા, કારણ અકબંધ

Malay

Last Updated: 09:27 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના માલગઢ ગામમાં એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં 7 લોકોએ જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

  • બનાસકાંઠા ડીસામાં પરિવારના 7 સભ્યોએ પીધી ઝેરી દવા 
  • માલગઢ ગામે એક જ પરિવારના 7 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા
  • તમામને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

બનાસકાંઠા જિલ્લામાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. બનાસકાંઠાના ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ તમામને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે.

દોઢ વર્ષથી જિંદગી ખરાબ કરી નાંખી, પરિવારનું ધ્યાન રાખજે', ઝેરી દવા પી  સુરતના બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ | A big builder of Surat tried to  commit suicide by drinking ...

પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા પીધી
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે એક પર પરિવારના 7 લોકોએ જંતુનાશક દવા પી લી ધી છે. માતા-પિતા અને બાળકો સહિત 7 લોકોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ માલગઢ ખાતે દોડી આવી હતી. તમામને સારવાર માટે પહેલા ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાર બાદ તેઓને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અહીં સાતેય સભ્યોની સારવાર ચાલી રહી છે.

પોલીસે તપાસ હાથ ધરી
તો ડીસા પોલીસે આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા માટે આજુબાજુમાં રહેતા લોકો, ગ્રામજનો, સગા-સંબંધીઓની પૂછપરછ ચાલુ કરી છે. હાલ તમામે આ પગલું કેમ ભર્યું તેની પાછળનું કારણ જાણવા મળ્યું નથી.  

સુરતમાં રત્નકલાકારે સપરિવાર કર્યો હતો આપઘાત 
આપને જણાવી દઈએ કે ગયા મહિને સુરતના રત્નકલાકાર વીનુંભાઈ મોરડીયાએ સપરિવાર આપઘાત કરી લીધો હતો. સુરતમાં યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેમની પત્ની, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાખવાની દવા ખાધી હતી. જે બાદ ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ