બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vishal Khamar
Last Updated: 11:34 AM, 4 February 2024
વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધી તેઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. હરણી બોટ દુર્ઘટનામાં હજુ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા આરોપીઓના ધરપકડ વોરંટ ઈશ્યું કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અત્યાર સુધી તમામ આરોપીઓના બેંકની વિગતો પોલીસે મેળવી છે. તેમજ ફરાર આરોપીના બેંક ખાતાની તપાસ પણ કરાશે.
પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ભાગી જવા કહ્યું હતું
ઝડપાયેલા પરેશ અને ગોપાલ તેમનાં ફોન અંગે માહિતી આપી રહ્યા નથી. બંનેને ફોન મળે તો અનેક સવાલો અને આરોપીઓ અંગે માહિતી મળી શકે છે. લેકઝોન સ્ટાફ પણ વોટ્સએપ પર ગોપાલને હિસાબ મોકલતો હોવાનો ખુલાસો થયો છે. પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ફોન કર્યો હતો. ભાગીદારોને ફોન પર ભાગી જવાનું જણાવી પરેશ શાહ પણ અનેક દિવસો સુધી ફરાર રહ્યો હતો. પરેશના કહેવાથી બિનીત અને ગોપાલ ફોન બંધ કરી ફરાર થયા હતા.
બિનીત કોટિયાની SIT એ ધરપકડ કરી
વડોદરા હરણી તળાવમાં બનેલી દુર્ઘટના ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે. જેમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયાની SITએ ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર છે. બિનિત કોટિયાની આ બોટ પ્રોજેક્ટમાં 5% હિસ્સેદારી હોવાનું સામે આવ્યું છે. બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો. ત્યારે કોંગ્રેસનાં કાર્યકરે તેના પર શાહી ફેંકીને રોષ ઠાલવ્યો હતો. જો કે શાહી ફેંકનારાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
જાણો સમગ્ર દૂર્ઘટનાનો કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.
અત્યારસુધી પકડાયેલા આરોપીઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir