બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / 3 creatures arrival in the house is considered very auspicious ants

Vastu Tips / કાળી કીડી, પોપટ અને આ જીવ ઘરમાં આવે, માનવામાં આવે છે એકદમ શુભ: ધનલાભના બને છે યોગ

Bijal Vyas

Last Updated: 12:01 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર અનેક જીવોના ઘરે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓમાં કાળી કીડીઓનું ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

  • કાળી કીડીઓને ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે
  • પોપટ પાળવાથી રાહુ-કેતુ અને શનિની ખરાબ દ્રષ્ટિથી બચી શકાય છે.
  • હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર ઘરમાં કાચબાનું આગમન લક્ષ્મીજીના આગમનનો સંકેત છે

Vastu Tips: હિંદુ ધર્મમાં શુભ અને અશુભને લઈ ઘણી માન્યતાઓ છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના નિર્માણથી લઈને તેની સજાવટ સુધીના વાસ્તુના નિયમો જણાવવામાં આવ્યા છે, જેના કારણે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. તેવી જ રીતે, એવી ઘણી માન્યતાઓ છે જે જીવોના આગમનને લઈને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈ પ્રાણીનું અચાનક આગમન ઘરમાં લક્ષ્મી પ્રાપ્તિનો સંદેશ માનવામાં આવે છે. આવો આજે અમે તમને જણાવીએ કે જ્યોતિષે જણાવ્યા અનુસાર, કયા જીવો છે જેમના ઘરે આવવું શુભ માનવામાં આવે છે.

ઘરમાં કીડીઓ દેખાવી આવનાર ખતરા તરફ કરે છે ઈશારો, જાણો તેને કઈ રીતે ઓળખશો |  black and red ants give shubh ashubh sanket for future know vastu tips for  it

1. કાળી કીડીઓનું આગમનઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાળી કીડીઓ જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. જ્યોતિષશાસ્ત્રમાં કાળી કીડીઓને ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરમાં કાળી કીડીઓ આવે છે ત્યાંથી ગરીબી દૂર થઈ જાય છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે. જો તમારા ઘરની દિવાલોમાં કીડીઓ ઉપરની તરફ ખસી રહી છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે.

2. પોપટઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર પોપટનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. પોપટ ભગવાન કુબેર સાથે સંબંધિત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જે ઘરમાં પોપટ હોય છે, તે ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. ઘરમાં પોપટની હાજરી સકારાત્મકતા લાવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પોપટને પણ ઘરમાં રાખે છે. જ્યોતિષ શાસ્ત્રની માન્યતા અનુસાર, પોપટ પાળવાથી રાહુ-કેતુ અને શનિની ખરાબ દ્રષ્ટિથી બચી શકાય છે.

હાથી, ગાય, કાચબો... આ જાનવરોની મૂર્તિ રાખવાથી બનવા લાગે છે ધનલાભના યોગ,  જાણી લો મૂકવાની યોગ્ય દિશા vastu tips: keeping these auspicious animal  statue at home

3. કાચબોઃ જ્યોતિષમાં કાચબાનું આગમન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, જ્યારે કાચબો ઘરમાં આવે છે ત્યારે ઘરમાં સકારાત્મકતા આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર ઘરમાં કાચબાનું આગમન લક્ષ્મીજીના આગમનનો સંકેત છે. તેના આવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ