બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Dhruv
Last Updated: 01:24 PM, 12 May 2022
અમદાવાદમાં એક વાર ફરી કોરોનાના કેસોએ ઉથલો માર્યો છે. કારણ કે હજુ તો તાજેતરમાં જ પાલડીની NID વિદ્યાસંકુલમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. એવામાં હવે અમદાવાદની વેજલપુરની ઝાયડ્સ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓને આજથી વેકેશન આપી દેવાયું છે.
ગઇ કાલે અમદાવાદમાં જ કોરોનાના માત્ર 19 કેસ સામે આવ્યા હતાં
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી કોરોનામાં થોડીક રાહત મળી હતી. છૂટછાટ પણ મોટા ભાગે મળી ગઇ છે. પરંતુ એવામાં એકવાર ફરી રાજ્યમાં કોરોના માથું ઉંચકી રહ્યો છે. ગઈ કાલે પણ રાજ્યમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 19 નવા કેસ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા.
રાજ્યમાં ગઇ કાલે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતાં. દરમિયાન કોઈનું મૃત્યુ નથી થયું. પરંતુ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ 10944 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 21 લોકો સ્વસ્થ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 12 લાખ 24 હજાર 594 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર બાદ 12,13,467 લોકો સાજા થયા છે.
NIDમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે
ગઇ કાલે NIDમાં વધુ 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા હતાં. જેથી NIDમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. NIDમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાયા છે. NID કેમ્પસ દ્વારા જણાવેલા આંકડા અનુસાર 6 મેના રોજ 1 કેસ, 7 મેના રોજ 5 કેસ, 8 મેના રોજ 17 કેસ, 9 મેના રોજ 3 કેસ અને 10 મેના રોજ 11 કોરોનાના કેસ નોંધાયા છે. જો કે એકસાથે કોરોનાના આટલાં કેસ સામે આવતા અમદાવાદની NID ની હોસ્ટેલને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારે 8 તારીખ બાદથી AMC દ્વારા NID માં 700 કરતા વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. NIDમાં એકાએક કોરોનાના કેસો વધતા હાલ NIDમાં તમામ ઓફલાઈન વર્ગોને સ્થગિત કરી ઓનલાઈન કરી દેવાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા