બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / ભાવનગર / Yuvraj Singh will appear before SOG today, will be questioned about Bipin Trivedi's allegation
Priyakant
Last Updated: 08:01 AM, 21 April 2023
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આજે ભાવનગર SOG સમક્ષ હાજર થશે. નોંધનિય છે કે, આ પહેલા જ્યારે તેમને હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે તેમની તબિયત લથડી હતી. જે બાદ SOGએ ફરી આજે હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. મહત્વનું છે કે, બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ પર રૂપિયાની લેતી-દેતીના આક્ષેપ લગાવ્યા છે. જેને લઈ હવે આક્ષેપોને લઈ ભાવનગર SOG યુવરાજસિંહની પૂછપરછ કરશે.
ભાવનગર SOGએ યુવરાજસિંહને CRPC કલમ 160 હેઠળ સમન્સ પાઠવ્યું છે. આ પહેલા જ્યારે SOGએ યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું ત્યારે નાદુરસ્ત તબિયતનું કારણ આપી યુવરાજસિંહ હાજર થયા નહોતા. જોકે હવે આજે યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થશે. જોકે નોંધનીય છે કે, ગઈકાલે ફરી એકવાર યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરી અનેક ખુલાસા કર્યા હતા.
ભાવનગર SOGએ મોકલ્યું હતું સમન્સ
તા.18.4.2023 નાં રોજ ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બિપિન ત્રિવેદી દ્વારા આક્ષેપ કરાયા બાદ ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર SOG પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. યુવરાજસિંહને સમન્સ પાઠવીને પોલીસે બુધવારે બપોરે 12 વાગ્યે હાજર થવા જણાવ્યું હતું. મહત્વનું છે કે, બિપિન ત્રિવેદીના આક્ષેપ બાદ તેમને આ સમન્સ મોકલવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બિપિન ત્રિવેદીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.
શું કહ્યું હતું યુવરાજસિંહે ?
ભાવનગર ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે ધો. 12 માં ડમી તરીકે બેસનાર 2 નામ મારી પાસે છે. જેમાં ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી. પી.કે. ના કહેવાથી ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તેમજ દર્શન બારૈયાએ અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપી હતી. દર્શન બારૈયા કોની પરીક્ષા આપવા જતો હતો એની અમે પુષ્ટિ કરતા નથી. ત્યારે વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે મને ભાવનગર પોલીસનું સમન્સ છે. તેમાં હું હાજર રહીશ. આવતીકાલે મોટા નેતા મંત્રીઓના ખુલાસા કરીશે. જેમણે મને ઓફરો કરી છે. તેમના નામ જાહેર કરીશ. ત્યારે જેમણે મને ઓફરો કરી તેમના પણ નિવેદનો લેવા જોઈએ.
મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાય છેઃ યુવરાજસિંહ
ડમીકાંડ મામલે યુવરાજસિંહે જણાવ્યું હતું કે મારી પાસે 17 વીડિયો છે અને તમામ આધાર પુરાવા છે. મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેના જવાબ આપીશું. તેમજ પોલીસ આરોપીને સાક્ષી બનાવી રહી છે. તેમજ અમને ધમકીઓ પણ મળી છે. ત્યારે યુવરાજસિંહે કહ્યું હતું કે મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ રહી છે. તેમજ ડમીકાંડનું કૌભાંડ 2004 થી થઈ રહ્યું છે.
ગત રોજ યુવરાજસિંહની લથડી તબિયત
ગત રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં લખ્યું છે કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir