બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / yogini ekadashi 2023 upay do these astro remedies

આસ્થા / યોગિની એકાદશી: આજના દિવસે કરી લો બસ આ 3 ઉપાય, દુ:ખ-દર્દ સાથે પાપથી પણ મળશે મુક્તિ

Bijal Vyas

Last Updated: 10:42 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગિની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે આ ઉપાયો કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

  • આજે યોગિની એકાદશી સાથે બની રહ્યો છે શુભ યોગ
  • યોગિની એકાદશી વ્રત દર વર્ષે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષના રોજ કરવામાં આવે છે 
  • આજે કરો આ ઉપાય, મળશે પાપોમાંથી મુક્તિ અને સુખ,સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Yogini Ekadashi 2023 Upay:હિન્દુ પંચાંગ મુજબ, યોગિની એકાદશી વ્રત દર વર્ષે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ રાખવામાં આવે છે. આજે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. તો બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. તેવામાં જો તમે ઈચ્છો તો સૂર્યાસ્ત પહેલા આ ઉપાયો કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. આવો જાણીએ કે યોગિની એકાદશીના દિવસે કયા ઉપાયો કરવાથી શુભ થઈ શકે છે.

યોગિની એકાદશી પર આ ઉપાયોથી તમારા પર વરસશે માતા-લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની  કૃપા, થશે ધન લાભ | Yogini Ekadashi 2023 do these remedies to get blessing  of mata lakshmi lord vishnu

યોગિની એકાદશીએ કરો આ ખાસ ઉપાય 
પાપોથી મુક્તિ મેળવવા માટે

ઘણી વખત જાણે-અજાણે અનેક પ્રકારના પાપ કરી બેસીએ છે. આવી સ્થિતિમાં એકાદશીના દિવસે પશુ-પક્ષીઓની સેવા કરવાની સાથે તેમને પાણી અને ખોરાક પણ ખવડાવો. આ સાથે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અન્ન, પાણી, વસ્ત્ર અને દક્ષિણા વગેરેનું દાન કરો. આ ઉપાયો કરવાથી દરેક પ્રકારના પાપોથી મુક્તિની સાથે ગ્રહ દોષોથી પણ મુક્તિ મળી શકે છે.

કરો આ મંત્રનો જાપ
જો જીવનમાં એક સમસ્યાનો અંત ન આવે તો તેની પહેલા બીજી સમસ્યા ઉભી થાય છે, તેથી યોગિની એકાદશીના દિવસે આ મંત્રનો જાપ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યોગિની એકાદશીના દિવસે તુલસીની માળા સાથે ભગવાન વિષ્ણુ સંબંધિત 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરો. તેની સાથે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવા સાથે તુલસીના કેટલાક પાન ચઢાવો.

Topic | VTV Gujarati

દિવો પ્રગટાવો 
શાસ્ત્રો અનુસાર એકાદશીની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો કરવો શુભ માનવામાં આવે છે. આ સાથે 11 પરિક્રમા કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ