બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 10:42 AM, 14 June 2023
Yogini Ekadashi 2023 Upay:હિન્દુ પંચાંગ મુજબ, યોગિની એકાદશી વ્રત દર વર્ષે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ રાખવામાં આવે છે. આજે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. તો બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. તેવામાં જો તમે ઈચ્છો તો સૂર્યાસ્ત પહેલા આ ઉપાયો કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. આવો જાણીએ કે યોગિની એકાદશીના દિવસે કયા ઉપાયો કરવાથી શુભ થઈ શકે છે.
યોગિની એકાદશીએ કરો આ ખાસ ઉપાય
પાપોથી મુક્તિ મેળવવા માટે
ઘણી વખત જાણે-અજાણે અનેક પ્રકારના પાપ કરી બેસીએ છે. આવી સ્થિતિમાં એકાદશીના દિવસે પશુ-પક્ષીઓની સેવા કરવાની સાથે તેમને પાણી અને ખોરાક પણ ખવડાવો. આ સાથે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અન્ન, પાણી, વસ્ત્ર અને દક્ષિણા વગેરેનું દાન કરો. આ ઉપાયો કરવાથી દરેક પ્રકારના પાપોથી મુક્તિની સાથે ગ્રહ દોષોથી પણ મુક્તિ મળી શકે છે.
કરો આ મંત્રનો જાપ
જો જીવનમાં એક સમસ્યાનો અંત ન આવે તો તેની પહેલા બીજી સમસ્યા ઉભી થાય છે, તેથી યોગિની એકાદશીના દિવસે આ મંત્રનો જાપ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યોગિની એકાદશીના દિવસે તુલસીની માળા સાથે ભગવાન વિષ્ણુ સંબંધિત 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરો. તેની સાથે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવા સાથે તુલસીના કેટલાક પાન ચઢાવો.
દિવો પ્રગટાવો
શાસ્ત્રો અનુસાર એકાદશીની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો કરવો શુભ માનવામાં આવે છે. આ સાથે 11 પરિક્રમા કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir