બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Yogi Adityanath's Big Statement said If Gyanvapi is called a mosque then there will be controversy, what is Trishul doing there
Megha
Last Updated: 12:39 PM, 31 July 2023
ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ફરી એકવાર ગરમાવા લાગ્યો છે. જણાવી દઈએ કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપતા એમને કહ્યું હતું કે, 'જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે.' આ સાથે જ સીએમ યોગીએ એમ પણ પૂછ્યું હતું કે, 'ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને નથી રાખ્યો' ઉપરાંત એમનું એમ પણ માનવું છે કે આ મામલે મુસ્લિમ પક્ષે આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે, અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ.
EP-85 with Chief Minister of Uttar Pradesh Yogi Adityanath premieres today at 5 PM IST#YogiAdityanath #ANIPodcastwithSmitaPrakash #Podcast
— ANI (@ANI) July 31, 2023
Click the 'Notify me' button to get a notification, when the episode goes on air: https://t.co/HkTmnJcuXC pic.twitter.com/DnQd57EUSr
જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે
સીએમ યોગીને એક વાતચિત દરમિયાન જ્ઞાનવાપી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે "જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે." જેને ભગવાને દ્રષ્ટિ આપી છે એ જુઓ કે ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને રાખ્યો નથી. ત્યાં જ્યોતિર્લિંગ છે, દેવતાઓ છે. ત્યાંની દિવાલો બૂમો પાડીને શું કહી રહી છે? મને લાગે છે કે મુસ્લિમ પક્ષ તરફથી પ્રસ્તાવ આવવો જોઈએ કે સાહેબ, આ એક ઐતિહાસિક ભૂલ થઈ છે, અમને એ ભૂલનો ઉકેલ જોઈએ છે.''
સરકાર જ્ઞાનવાપી વિવાદનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી
સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મુદ્દે કહ્યું કે સરકાર જ્ઞાનવાપી વિવાદનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે પણ દેખીતું છે કે જ્ઞાનવાપી મુદ્દે ઐતિહાસિક ભૂલ થઈ છે. એટલા માટે તેને મસ્જિદ કહેવું ખોટું હશે. જ્ઞાનવાપીના ASI સર્વે કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પહેલા 3 ઓગસ્ટના રોજ સીએમ યોગી આદિત્યનાથના નિવેદનને હવે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
A historical mistake has been made by the Muslim society, so the Muslim society should come forward to solve it. : CM Yogi Adityanath, #YogiAdityanath #Gyanvapi #Hindus #Firing #GyanvapiHinduTemple pic.twitter.com/f1xSqGd9Lb
— Ujjwal🇮🇳 (@Ujjwal_9792) July 31, 2023
જ્ઞાનવાપી વિવાદ મામલે રાજકારણ ગરમાયું
એ વાત તો નોંધનીય છે કે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને જ્ઞાનવાપી પરિસર વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે મસ્જિદ સમિતિ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સર્વેને અટકાવતા સુપ્રીમ કોર્ટે મામલો હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી છે અને ASI સર્વે અંગે નિર્ણય આવવાનો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે.એક તરફ સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ બૌદ્ધ મંદિરો તોડીને હિન્દુ મંદિરો બનાવવાનું નિવેદન આપ્યું છે તો હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir