પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી પેટા ચૂંટણી પહેલા ભવાનીપુરથી ચૂંટણી લડી રહેલી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી શકે
મમતા બેનર્જીએ ઉમેદવારી પત્રમાં પોલીસ કેસનો ખુલાસો કર્યો નથી
આરોપો સાબિત થાય તો મમતા બેનર્જીનું ઉમેદવારીપત્ર રદ્દ થઈ શકે
મમતા બેનર્જી ચૂંટણી હારે તો સીએમ પદ છોડવું પડે
આરોપો સાબિત થાય તો મમતાનું ઉમેદવારીપત્ર રદ્દ થઈ શકે
ઉલ્લખેનીય છે ભવાનીપુર વિધાનસભાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા ટિબરીવાલ સાથે છે. અને અગામી 30 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. તે પહેલા બીજેપીએ મમતાના નોમિનેશન પર સવાલો ઉભા કર્યા છે. હવે જો બીજેપી ઉમેદવાર દ્વારા લાગવેલા આરોપો સાબિત થાય તો મમતા બેનર્જીનું ઉમેદવારીપત્ર રદ્દ થઈ શકે છે.
મમતાએ ઉમેદવારી પત્રમાં પોલીસ કેસનો ખુલાસો કર્યો નથી
ટીએમસીના ઉમેદવાર મમતા બેનર્જીના વિરૂદ્ધ બીજેપીએ હલ્લા મચાવવાનું શરૂ કરી દીધું છે. બીજીપેના ઉમેદવારે આરોપ લગાવ્યો છે. ઉમેદવાર ભરતી વખતે મમતાએ તેના ઉપર પાંચ પોલીસ મામલોઓનો ખુલાસો નથી કરાયો. જો કે, ત્રૃણમૂલ કોગ્રેસ આ આરોપેને ખંડન કર્યૂ હતું.
West Bengal: Election agent of BJP candidate for Bhabanipur constituency Priyanka Tibrewal writes to Returning Officer, objecting nomination/declaration filed by TMC's candidate & CM Mamata Banerjee, failing to disclose particulars of pending criminal proceedings against her pic.twitter.com/hhLIgyYZ2X
મમતા બેનર્જી માટે ભવાનીપુર પેટાચૂંટણી જીતવું બહુ જરૂરી છે. કેમકે જો હવે આ વખતે પણ ચૂંટણી હારી જાય તો તેમને સીએમની ખુર્શી છોડવી પડે આ જ વાતને લઈને બીજેપી મમતાને માત આપવા માંગે છે. એવા હેવ બીજેપીએ મમતાના ઉમેદવારીપત્રને લઈને ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી છે. બીજેપી આરોપ લગાવ્યો કે, મમતા બેનર્જીએ તેમના ઉપર ચાલી રહેલા પાંચ પોલીસ કેસનો ખુલાસો કર્યો છે. જે ખોટું છે. ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરીવાલે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવા ભવાનીપુર રિર્ટનીંગ ઓફિસરને પત્ર લખ્યો