બ્રેકિંગ ન્યુઝ
પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
Kinjari
Last Updated: 09:42 AM, 13 October 2021
સોમવારે કેસની સુનવણી બુધવારે એટલે કે આજ પર છોડવામાં આવી હતી. તે પહેલા શુક્રવારે આર્યન માટે જામીનની અરજી આપવામાં આવી હતી પરંતુ NCBએ કહ્યું કે તેમને તપાસ કરવા માટે સમય જોઇએ છે તો ત્યારે પણ આર્યનને જામીન નહોતા મળી શક્યા.
આજે મળશે જામીન?
આર્યનના વકીલ સતીષ માનશિંદેએ 3 વાર જામીનની અરજી દાખલ કરી છે પણ સૌથી મોટો સવાલ તે છે કે શું આજે આર્યનને જામીન મળી શકશે ખરાં? જો NCB કહે કે હજુ તેમને તપાસ કરવી છે તો જજ શું નિર્ણય લેશે તે કોઇ કહી શકે નહી. દલીલ કર્યા બાદ જ કોઇ નિર્ણય સામે આવી શકશે.
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે
સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે મુંબઈના જાણીતા વકીલ સતીશ માનશિંદે આર્યન ખાનનો કેસ લડી રહ્યા હતા. હવે શાહરૂખ ખાને આર્યન કેસ માટે નવા વકીલની નિમણૂક કરી છે.
શાહરુખખાને નવા વકીલની નિમણૂંક કરી
શાહરૂખ ખાને અમિત દેસાઈને આર્યનન ખાનના નવા વકીલ તરીકે નિમણૂંક કરી છે.મહત્વનું છે કે, સલમાન ખાનને 2002ના હિટ એન્ડ રન કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતાં. અમિત દેસાઈ હવે આર્યન ખાનને જેલમાંથી બહાર લાવવાની જવાબદારી ઉપડાશે 11 ઓક્ટોબરે અમિત આર્યન ખાન માટે કોર્ટમાં ગયો હતો. જામીન અરજી દાખલ કર્યા પછી NCB કાઉન્સિલે કોર્ટને કહ્યું કે, એજન્સીને જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો હતો.
આર્યન સામે કોઈ પુરાવા કે નશીલો પદાર્થ મળ્યો નથી
આર્યનનો બચાવ કરતાં અમિત દેસાઈએ કહ્યું કે,આર્યન છેલ્લા 1 અઠવાજિયાથી જેલમાં છે. હું જામીન માટે દલીલ કરતો નથી. હું તારીખ પર ચર્ચા કરી રહ્યો છું વહીવટી કારણોસર કોઈની સ્વતંત્રતા પર કાપ મૂકવો જોઈએ નહીં. NCB તપાસ ચાલુ રાખી શકે છે. જ્યાં સુધી આર્યનની વાત છે, મહત્તમ સજા 1 વર્ષ થઈ શકે છે.આર્યન સામે કોઈ પુરાવા નથી કે તેની પાસેથી કોઈ પદાર્થ પણ મળ્યો નથી. તેથી જો હજુ પણ NCB કહે કે તેમને 1 સપ્તાહ વધુ સમયની જરૂર છે તો તેઓએ આ હકીકત જોવી જોઈએ કે તે માત્ર 1 વર્ષની સજા માટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ