બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 11:12 PM, 11 July 2023
Sawan and health : મોટાભાગના લોકો શ્રાવણ મહિનામાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે. તેની પાછળનું ધાર્મિક તથ્ય એ છે કે, તે તામસિક ખોરાક છે, તેથી ઉપવાસના ફળમાં અને કથા પૂજાના પ્રસાદમાં તેનો ઉપયોગ કરવાની મનાઈ છે. જો કે, લસણ અને ડુંગળી બંને પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ તેમ છતાં, શ્રાવણ મહિનામાં તેનો ઉપયોગ ઓછો થાય છે. સાથે જ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો પણ ડુંગળી-લસણ ખાવા માટે શું માને છે. જાણો તેની પાછળનું કારણ શું છે અને તેનો સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે, તેના વિશે જાણીએ....
શ્રાવણ અને લસણ-ડુંગળી
વાસ્તવમાં ચોમાસું શ્રાવણ મહિનામાં શરૂ થાય છે, જે પોતાની સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. આ દરમિયાન, આપણી રોગપ્રતિકારક શક્તિ ધીમી પડી જાય છે જેના કારણે શરીર સરળતાથી રોગો માટે સંવેદનશીલ બની જાય છે. લસણ અને ડુંગળીની તાસિર ગરમ હોય છે, જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાનું કામ કરે છે, તેથી શ્રાવણ મહિનામાં આ બંનેનો ખોરાકમાં ઉપયોગ કરવાની મનાઈ છે.
- આયુર્વેદ અનુસાર, લસણ ડુંગળી એક એવી દવા છે જેનું સેવન શરીરને સુધારવા માટે કરવામાં આવે છે. પરંતુ લોકો તેને રોજિંદા આહારમાં સામેલ કરે છે, જે ફાયદાના બદલે નુકસાન કરે છે.
- આયુર્વેદ લસણ અને ડુંગળીને નિયમિતપણે આહારમાં સામેલ કરવાની સલાહ નથી આપતું કારણ કે તેનું વધુ પડતું સેવન શરીરમાં ઉત્પન્ન થતા સારા બેક્ટેરિયાને પણ નષ્ટ કરે છે.
- બીજી તરફ ડુંગળી અને લસણ ખૂબ ગરમ હોય છે જે શરીરમાં ગરમી પેદા કરે છે. એટલા માટે જે લોકો ધ્યાન વગેરે કરે છે તેઓ તેનું સેવન કરતા નથી. તેના ઉપયોગથી ગુસ્સો અને ચિંતા પણ વધે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir