બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Why are people 'poor' in the control campaign against stray cattle? Lack of policy or regulations in action?
Vishal Khamar
Last Updated: 09:29 PM, 8 July 2023
રખડતા પશુઓના ત્રાસથી રાજ્યની જનતા છેલ્લા ઘણા સમયથી પરેશાન છે.શહેરોમાં રખડતા ઢોર સામે અંકુશ અભિયાન ચલાવવાના દાવા તો ઘણા કરાય છે પરંતુ રખડતા પશુ પર નિયંત્રણ મેળવવામાં વહીવટી તંત્ર સફળ નીવડી શક્યું નથી. આવા પશુમાલિકો સામે અનેક કિસ્સાઓમાં FIR પણ નોંધાઈ છે..તેમ છતાં પશુઓની અડફેટે સામાન્ય લોકો ચઢતા રહ્યા છે. પશુમાલિકો વિરુદ્ધ કડક કાર્યવાહીના હેતુથી કાયદો લાવવાનો પણ પ્રયાસ થયો જે સમાજના વિરોધ બાદ પડતો મૂકવો પડ્યો. અને તે બાદ ન તો નીતિ બદલાઈ કે સ્થિતિ બદલાઈ. ત્યારે અહી સવાલ એ છે કે રખડતા પશુ સામેના અભિયાનમાં જનતા `બિચારી' કેમ બને છે?. પશુમાલિકો સામે કાર્યવાહીમાં શું નીતિ કે નિયતનો અભાવ છે?..પશુમાલિક સામે પગલા લેવામાં વહીવટી તંત્રના હાથ કેમ બંધાઈ જાય છે?
રાજ્યભરમાં ઢોરના ત્રાસથી પ્રજા ત્રસ્ત છે. મહાનગરોમાં પણ ઢોર પર અંકુશ લેવાઈ શકાયો નથી. જાહેર માર્ગ પર અનેક વખત ઢોરે લોકોને અડફેટે લીધા છે. તાજેતરમાં પાટણ અને ગોંડલમાં ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. પાટણમાં રખડતા ઢોરે શ્રમિકોને અડફેટે લીધા હતા. ઢોરે હવામાં ફંગોળતા શ્રમિકને પહોંચી ગંભીર ઈજા પહોંચી હતી. રખડતા ઢોરના કારણે કેટલાક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અનેક દુર્ઘટના બાદ પણ તંત્રની કામગીરી દેખાતી નથી. ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી છતા તંત્ર કોઈ નિરાકરણ લાવી શક્યુ નથી.
રખડતા ઢોર મુદ્દે જનતાની શું છે માંગ?
રખડતા ઢોરના ત્રાસનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. તંત્રની ઢોર પાર્ટીની કામગીરી વધુ મજબૂત બને. પશુપાલકોને શહેરથી દૂર અલગ જમીન ફાળવવી જોઇએ. રખડતાં ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે તે દૂર થવી જોઇએ. વાહનચાલકોને પડતી મુશ્કેલીનુંનિવારણ આવવું જોઇએ. રખડતા ઢોરની સમસ્યાને ધ્યાને લઈ અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ. તંત્રએ પશુપાલકોની પણ સમસ્યા સમજી નિવારણ લાવવું જોઇએ. તંત્રનું કામ માત્ર બે-ત્રણ દિવસ દેખાડા પૂરતું જ ન હોવું જોઇએ. તંત્ર દ્વારા રખડતા ઢોરને લઇ સતત કાર્યવાહી કરતું રહેવું જોઇએ.
રખડતા ઢોરનો ત્રાસ
8 મહિનામાં 3674 અકસ્માત |
સપ્ટેમ્બર 2022- 471 |
ઓક્ટોબર 2022- 513 |
નવેમ્બર 2022- 444 |
ડિસેમ્બર 2022- 475 |
જાન્યુઆરી 2023- 450 |
ફેબ્રુઆરી 2023- 401 |
માર્ચ 2023- 508 |
એપ્રિલ 2023- 412 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir