બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Who is responsible for poor quality of bridge in Palanpur, criminal negligence? Why was GPC Infra, which is in controversy, given the job?
Vishal Khamar
Last Updated: 09:38 PM, 24 October 2023
આપણે ઝૂલતા પુલ દુર્ઘટના અંગે તો વારંવાર ચર્ચા કરતા જ રહીએ છીએ અને તેના પડઘા પણ હજુ શમ્યા નથી ત્યાં ફરી એકવાર રાજ્યમાં બ્રિજને લગતી જ દુર્ઘટના બની. પાલનપુરના RTO સર્કલ પાસે 125 કરોડના ખર્ચે જે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું તેના સ્લેબ ધરાશાયી થયા. આ દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા. કોઈ દુર્ઘટના બને એટલે રાબેતા મુજબ તપાસ થવાની હોય એ તો થાય જ છે અને સમયાંતરે અપડેટ્સ પણ આવતા રહે છે પરંતુ મહામંથનમાં પાયાનો સવાલ એ જ કરવાનો છે કે આ બેદરકારી ગુનાહિત બેદરકારી છે તો તેમાં સ્પષ્ટરૂપથી જવાબદારી નક્કી થશે કે નહીં.
બ્રિજમાં ક્રોસ ગર્ડરની કામગીરી ચાલુ હતી ત્યારે એક ગર્ડર પડ્યો અને પછી બાકીના ગર્ડર પડ્યા એવા ટેકનિકલ કારણો આપવામાં આવી રહ્યા છે પણ દોઢ વર્ષથી બ્રિજની કામગીરી ચાલતી હતી તો આ સમય દરમિયાન ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ અને રોડ-બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ શું કરતું હતું. શું રેન્ડમ ચેકિંગની કોઈ વ્યવસ્થા છે કે નહીં. જે કંપનીને કામ સોંપાયું તે કંપનીને અગાઉ ખોટા બિલ રજૂ કરવાના મુદ્દે અમદાવાદ મહાપાલિકા બ્લેકલીસ્ટ કરી ચુકી છે તો હજુ પણ એ જ કંપનીને કામ કેમ અપાયું?. હવે તપાસ થશે, બચાવ થશે, પણ જવાબદારી નક્કી થશે કે નહીં. કંપનીના માલિક એવી સુફિયાણી વાતો કરી રહ્યા છે કે જે મૃત્યુ પામ્યા તે મારા દીકરા જેવા છે પરંતુ આવું કહેવાથી શું થશે. ન તો એ મૃતકો પાછા આવવાના છે કે ન તેમના પરિવારના ઘા પુરાવાના છે. અને આ તમામ ઘટનાક્રમ એક બેદરકારીથી સર્જાયો અને તેમા આખરે જવાબદારી કોની?
પાલનપુરના RTO સર્કલ પાસે આવેલો બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થયા હતા. બ્રિજની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. દુર્ઘટના બાદ તપાસ થઈ રહી છે. ગર્ડરમાંથી એક ગર્ડર પડ્યું જેથી બાકીના ગર્ડર પણ પડ્યા છે. ડિઝાઈન, બાંધકામ સહિતના મુદ્દાની ચકાસણી થઈ રહી છે. R&B અને NHAIના અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી છે. બ્રિજની કામગીરી નબળી હોવા અંગે ધારાસભ્યએ પણ દિશાનિર્દેશ કર્યો હતો.
પાલનપુરના બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. બ્રિજનું કામ દોઢ વર્ષથી ચાલતું હતું. બ્રિજનું કામ જે કંપનીને અપાયું હતું તે અગાઉ પણ વિવાદમાં હતી. GPC ઈન્ફ્રા.ના ડિરેક્ટરે કહ્યું કે અમે કોઈ કચાશ રાખી નથી. GPC ઈન્ફ્રા.કંપનીને અમદાવાદ મહાપાલિકાએ બ્લેકલીસ્ટ કરી હતી. 2017માં IOCના ડુપ્લીકેટ બિલ રજૂ કરવા મુદ્દે GPC ઈન્ફ્રા.સામે ફરિયાદ થઈ હતી. બ્રિજ 125 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો હતો. બ્રિજના 5 ગર્ડર ધરાશાયી થયા હતા. બ્રિજ ઉપર 6 ગર્ડર ચડેલા હતા. ક્રોસ ગર્ડરનું કામ ચાલુ હતું તે દરમિયાન દુર્ઘટના બની. DySPના માર્ગદર્શનમાં સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. બ્રિજના ગર્ડર ધરાશાયી થયા તેમા કોની જવાબદારી નક્કી થશે? કંપની કહે છે કે પૂરતી સલામતી રાખી હતી તો દુર્ઘટના કેમ થઈ? બે લોકોના મૃત્યુની જવાબદારી કોની? જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir