બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 02:52 PM, 9 February 2024
Haldwani Violence : ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ પ્રશાસનની ટીમ પર બદમાશોએ કરેલા હુમલા બાદ તોફાની તત્વોને જોતા જ ઠાર કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે આ આદેશ આપ્યો હતો DM વંદના સિંહે. ગુરુવારે સાંજે હલ્દવાનીની શેરીઓમાં બદમાશોએ હંગામો મચાવ્યો હતો. પોલીસકર્મીઓ પર હુમલા, પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બના કારણે બે લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. હલ્દવાનીમાં વાતાવરણને નિયંત્રિત કરવા માટે ડીએમ વંદના સિંહની કાર્યવાહીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
વાસ્તવમાં ઉત્તરાખંડના હલ્દવાનીમાં બુલડોઝર વડે ગેરકાયદેસર મદરેસાને હટાવવામાં આવી રહી હતી. આ દરમિયાન ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનને આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે મુશ્કેલી સર્જનારાઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા. તોફાનીઓ સામે કાર્યવાહી કરનાર DM વંદના સિંહ કડક અધિકારી તરીકે ઓળખાય છે.
#WATCH हल्द्वानी (उत्तराखंड): वन्दना सिंह (डीएम,नैनीताल) ने कहा, " परिसंपत्तियों के नुकसान में मुख्य रूप से थाना को पूरी तरह से नुकसान हुआ है। भीड़ ने पुलिस स्टेशन को क्षतिग्रस्त कर दिया...यह एक दुर्भाग्यपूर्ण घटना है। आरोपियों की पहचान कर सख्त कार्रवाई की जाएगी। यह सांप्रदायिक… pic.twitter.com/mSyGLyzspx
— ANI_HindiNews (@AHindinews) February 9, 2024
હલ્દવાની રમખાણો પર કાર્યવાહી
IAS બન્યા બાદ વંદનાને અલ્મોડા જિલ્લામાં DMની પોસ્ટ પર પોસ્ટિંગ મળી. આ પછી તે નૈનીતાલ જિલ્લામાં DM બન્યા. નૈનીતાલ જિલ્લા હેઠળના હલ્દવાની શહેરમાં ફાટી નીકળેલા રમખાણો પછી તરત જ DM વંદનાએ બદમાશોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, બદમાશો દ્વારા પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હરિયાણાના રહેવાસી છે DM વંદના સિંહ
IAS વંદના સિંહ ચૌહાણ મૂળ હરિયાણાના નસરુલ્લાગઢના છે. તેમનો જન્મ સંયુક્ત પરિવારમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના વતનમાંથી જ થયું હતું. પરિવારને તેમની પુત્રી ખૂબ ભણવા અંગે ફરિયાદો હતી પરંતુ તેમના પિતા મહિપાલ સિંહ ચૌહાણે તેને મુરાદાબાદના ગુરુકુળમાં મોકલી જ્યાંથી તેમણે શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. શાળાકીય અભ્યાસ પછી વંદના સિંહે આગ્રાની ડૉ. બી.આર. આંબેડકર યુનિવર્સિટીમાં LLBમાં પ્રવેશ લીધો. તેમને તેમના પરિવાર તરફથી વધુ સહકાર ન મળતો હોવાથી તે ઘરેથી અભ્યાસ કરતી હતી. તેમણે ઓનલાઈન પુસ્તકો મંગાવીને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી.
કહેવાય છે UPSC ટોપર
વંદના સિંહે ઘરે રહીને UPSCની તૈયારી શરૂ કરી. તે દરરોજ 10 થી 12 કલાક અભ્યાસ કરતી હતી. વર્ષ 2012માં તેના પ્રથમ પ્રયાસમાં વંદનાએ UPSC પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. તેણીએ આ પરીક્ષામાં 8મો ક્રમ મેળવ્યો અને તે IAS અધિકારી બન્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir