બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Khyati
Last Updated: 06:43 PM, 1 February 2022
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાનું વહીવટીતંત્ર કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રસીકરણને પ્રાથમિકતા આપી રહ્યું છે. તો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર રસી ન લેનાર સરકારી અને ખાનગી કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી રહ્યું છે. આ અંતર્ગત વહીવટી તંત્રએ પ્રિકોશન ડોઝ ન લેનાર 6 હજાર સરકારી અને ખાનગી કર્મચારીઓનો પગાર અટકાવી દીધો છે.મહત્વનું છે કે એક અઠવાડિયા પહેલા કલેક્ટર મનીષ સિંહે ચેતવણી આપી હતી કે ત્રીજો ડોઝ લેવામાં બેદરકારી દાખવનારા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન સ્ટાફના પગાર રોકી દેવામાં આવશે.
વેઇટિંગ પીરિયડ ધરાવતા કર્મચારીઓને સમયસર પગાર મળશે
કલેક્ટરે કહ્યું, "મારી વિનંતી પર, ઇન્દોરના પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાએ તેમના વિભાગને ફક્ત તે જ લોકોને પગાર આપવાનો નિર્દેશ કર્યો છે કે જેઓએ પ્રિકોશન ડોઝ લીધો હોય." કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે જે કર્મચારીઓ તેમના ત્રીજા ડોઝ માટે રાહ જોઈ રહ્યા છે અને જેમને ફ્રન્ટલાઈન કામદારો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેઓને તેમનો પગાર સમયસર મળશે.
વેક્સિન સર્ટી બતાવ્યા બાદ જ મળશે પગાર
આપને જણાવી દઈએ કે કલેકટરે આદેશ આપ્યો છે કે જે કર્મચારીઓનો જાન્યુઆરીનો પગાર રોકી દેવામાં આવ્યો છે તેમનો પગાર તેઓ પ્રિકોશન ડોઝ લેવાનું પ્રમાણપત્ર જમા કરાવે પછી જ આપવામાં આવશે.
આ વિભાગોના કર્મચારીઓને જાન્યુઆરી માસનો પગાર મળ્યો નથી
જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસે ઓછામાં ઓછા 1,678 પોલીસકર્મીઓને જાન્યુઆરીનો પગાર મળ્યો ન હતો. બીજી તરફ, ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના 1,486 કર્મચારીઓ, અન્ય દળોના 1,289 કર્મચારીઓ અને 742 આરોગ્ય કર્મચારીઓ એવા છે જેમને તેમનો પગાર મળ્યો નથી. અન્યમાં 354 મહેસૂલ કર્મચારીઓ, MP વીજળી બોર્ડના 212, પંચાયતના 178 અધિકારીઓ, 46 કોર્ટ કર્મચારીઓ અને 731 ખાનગી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ