બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / what is International No Diet Day , why people celebrate this, why you should not do diet, history of the day
Vaidehi
Last Updated: 09:08 AM, 6 May 2023
દુનિયાભરમાં દરવર્ષે 6 મેનાં રોજ 'નો ડાયટ ડે' ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય ઉદેશ્ય પોતાના શરીરને જેવું છે તેવું સ્વીકારવાનાં વિચારને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસે મુખ્યત્વે ડાયટિંગ અને પ્રતિબંધિત આહારનાં સેવનની આદતને લીધે શરીરને અનુભવવી પડતી મુશ્કેલીઓ અંગે જાગરૂકતા ફેલાવવામાં આવે છે.
શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ?
ઈન્ટરનેશનલ નો ડાયટ ડેનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ દિવસે લોકોને વજન ઘટાડવા કે ફૂડનો ત્યાગ કરવાની જગ્યાએ પોતાની સારસંભાળ અને આત્મપ્રેમ પર ધ્યાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય લક્ષ્ય વજન ઘટાડવા કે પ્રતિબંધિત આહાર ખાવાની પેટર્ન પર ધ્યાન આપવાની જગ્યાએ લોકોને સ્વાસ્થ આદતો અને સકારાત્મક શરીરની ઈમેજ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. સામાન્ય શબ્દોમાં વાત કરીએ તો આ દિવસ પોતાના શરીરની સામે લડવાની જગ્યાએ આત્મપ્રેમ કરી અને જેવા છીએ તેવા સ્વીકારવાનો છે.
શું છે ઈતિહાસ?
ઈન્ટરનેશનલ નો ડાયટ ડેનાં મૂળ બ્રિટિશ નારીવાદી અને આહાર-વિરોધી પ્રચારક મેરી ઈવાંસ યંગનાં કામથી ઉત્પન્ન થઈ હતી જેમણે 1990નાં દશકાની શરૂઆતમાં 'ડાયટ બ્રેકર્સ' નામક એક સમૂહની સ્થાપના કરી હતી. આ સમૂહની વિચારધારા હતી કે તમારું શરીર જેવું છે તેવું જ સ્વીકાર્ય હોવું જોઈએ..તમારે તમારા શરીરને પ્રેમ કરવો જોઈએ...
ડાયટિંગ અને કસરત કર્યા વગર આ રીતે ઉતારી શકાય છે વજન :
અનહેલ્ધી ફૂડથી દૂર રહેવું: બની શકે છે જંક ફૂડથી દૂર રહીને આપણે આપણાં સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકીએ છીએ. ખાવાની ખૂબ ઈચ્છા થાય તો એટલા પ્રમાણમાં જ ખાઓ જેનાથી તમારું વજન વધે નહીં.
1. પીતાં રહો પાણી
શરીરમાં પાણીની કમી થવાથી પણ વજન વધવાની સમસ્યા થાય છે. જો વજન ઘટાડવા માંગતા હોવ તો દિવસમાં સમયસર પાણી પીતાં રહેવું જોઈએ. વજન ઉતારવાની સાથે સાથે પાણી પીવાના બીજા પણ ઘણા લાભ છે.
2. પૂરતી ઊંઘ લો
ઓછી ઊંઘ પણ વધતાં વજન પાછળ કારભૂત છે. વ્યક્તિએ સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી જ જોઈએ.
3. ધીમે ધીમે જમો
સરખી રીતે ન જમવાના કારણે સ્થૂળતા અને ગેસની સમસ્યાઓ વધે છે. એવામાં જમવા બેસો ત્યારે બીજી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં અને ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ.
4. ચાલવા જવું
હલકી ફૂલકી વોકને એક્સરસાઈઝ ન કહી શકાય પણ આમ કરવાથી વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે.
ડાયટિંગ કરતાં લોકોને થાય છે આ નુકસાન
1. પોષક તત્વોની કમી
અચાનક જ અમુક પ્રકારનો આહાર બંધ કરી દેવાના કારણે શરીરમાં પોષક તત્વોની કમી થઈ શકે છે. આવશ્યક વિટામિન અને લોહતત્વો શરીરમાં ન જાય તો નેગેટિવ અસર પણ થઈ શકે છે.
2. ધીમી પાચનક્રિયા
ડાયટિંગમાં લોકો ખૂબ ઓછી કેલેરી હોય તેવો આહાર લેતા હોય છે, જેના કારણે પાચનની આખી પ્રક્રિયા ધીમી પડી જાય છે.
3. ઈટિંગ ડિસઓર્ડર
ડાયટિંગથી એનોરેકસિયા નાર્વોસા અથવા બુલિમિયા નાર્વોસા જેવા ઈટિંગ ડિસઓર્ડર થઈ શકે છે, જેની ગંભીર અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડે છે.
4. માંસપેશીઑ નબળી થવી
જ્યારે લોકો સીમિત પ્રમાણમાં જ આહાર લેતા હોય ત્યારે શરીરમાં ઉર્જા માટે આપણું શરીર માંસપેશીઑ માંથી ઉર્જા લેવાની શરૂઆત કરી દે છે. જેના કારણે લાંબા ગાળે શરીર નબળું પડતું જાય છે.
5. માનસિક અસર
ડાયટિંગના કારણે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પણ નેગેટિવ અસર પડે છે. વ્યક્તિ આખો દિવસ ભોજન, વજન અને સ્વાદ વિશે ટેન્શન લીધા રાખે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir