બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Water will not flow on hard work. How should a farmer test fake seeds? Government guidelines for farmers released
Vishal Khamar
Last Updated: 10:40 PM, 15 May 2023
કૃષિ નિયામક તરફથી ખેડૂતો માટે ખરીફ પાકની સિઝનમાં બિયારણની ખરીદી પહેલા કેટલીક ઉપયોગી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી જેમાં ખેડૂતે બિયારણની ખરીદી કરતી વખતે શું ધ્યાન રાખવું તે બાબત મુખ્ય હતી.આ પહેલીવાર નથી કે બિયારણની ખરીદી અંગે ખેડૂતને માર્ગદર્શન ન મળ્યું હોય પરંતુ ગુજરાત સહિત દેશના કેટલાય રાજ્યો એવા છે કે જયાં ખેડૂત નકલી બિયારણ ખરીદીને રાતે પાણીએ રડ્યો હોય. મોટાભાગના કિસ્સામાં એવુ પણ બને છે કે વેપારી અને ઉત્પાદકોની સાંઠગાંઠ ઉપર સુધી હોય છે એટલે મોટેભાગે નકલી બિયારણ પકડાય તો પણ દંડનીય કાર્યવાહી થતી નથી. નકલી બિયારણ કોઈ વેચતા પકડાય તો તેના માટેના કાયદા ઘણાં કડક છે પરંતુ કોઈ વેપારીને આકરી સજા થઈ હોય તેવા દાખલા ઓછા છે. સૌથી મોટો સવાલ એ છે કે સરકારની માર્ગદર્શિકા કે પછી ખેડૂતની સજાગતા બંને હોય તો પણ નકલી બિયારણનો ખેલ કેમ ચાલે છે. આ ખેલ આખરે બંધ કયારે થશે?
બિયારણની ખરીદીમાં ખેડૂતે શું કાળજી લેવી?
અધિકૃત લાયસન્સ ધરાવતી મંડળી કે સંસ્થા પાસેથી જ બિયારણ ખરીદવું. લાયસન્સ કે પરવાનો ન હોય તેવી મંડળી કે સંસ્થા પાસેથી બિયારણ ન લેવું. તે સિવાય ધારાધોરણ ન દર્શાવ્યા હોય તેવું બિયારણ ખરીદવું નહીં. અને ઉત્પાદકનું નામ-સરનામું ન દર્શાવ્યા હોય તેવું બિયારણ પણ ન ખરીદવું. બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેની ચકાસણી કરવી. બિયારણની મુદત પૂરી થઈ ગઈ છે કે નહીં તે ચકાસણી કરવી. કપાસના પાકના બિયારણ જુદા-જુદા નામે વેચાય છે તે ન ખરીદવા. તેમજ વાવણી પછી પણ બિયારણનું પેકેટ, થેલી કે બિલ સાચવી રાખવું.
નકલી બિયારણ વેચનારને શું સજા થાય?
પેકેટ ઉપર ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો તાત્કાલિક ધરપકડ થઈ શકે છે. પર્યાવરણ જાળવણીના કાયદા હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો લાગે છે. ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો હાઈકોર્ટ સિવાય જામીન ન મળી શકે. બિયારણનું પાઉચ કે પેકેટ બનાવનારને પણ આ જ ગુનો લાગુ પડે છે.
નકલી બિયારણ અને નુકસાનીની ભરમાર
ગુજરાતમાં બીટી કપાસના બીજનું મોટાપાયે ગેરકાયદે ઉત્પાદન થાય છે. કપાસમાં નકલી બિયારણ આવે તો ખેડૂતને મોટું નુકસાન થાય છે. ખેડૂતો કયારેક સસ્તા ભાવની લાલચમાં અનઅધિકૃત બિયારણ લઈ આવે છે. આધાર-પુરાવા વગર અધિકારીઓ ખેડૂતો છેતરાયાની વાત માનતા નથી. ગેરકાયદે બિયારણ વેચતા વેપારી અને ઉત્પાદકોની મોટાપાયે સાંઠગાંઠ હોય છે. છેલ્લા બે વર્ષમાં નકલી બિયારણની 15 જેટલી ફરિયાદ સરકારને મળી છે.
આ રાજ્યએ નકલી બિયારણના વેચાણની કરી જાણ
ગુજરાત |
કર્ણાટક |
મહારાષ્ટ્ર |
તેલંગાણા |
ગુજરાતમાં શું થઈ કાર્યવાહી?
2015 થી 2022 દરમિયાન 9 કંપની સામે ફરિયાદ થઈ છે. 9 કંપનીઓ સામે 7 વર્ષમાં નકલી બિયારણ અંગે ફરિયાદ થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 38 લોકોની ધરપકડ
મોટેભાગે કપાસ, મગફળી, સોયાબીનના નકલી બિયારણનો જથ્થો ઝડપાયો. 2015 થી 2022માં 150 કરોડના નકલી બિયારણનો જથ્થો જપ્ત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir