બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Dinesh
Last Updated: 03:17 PM, 14 April 2023
માનવ શરીરના પંચતત્વમાનું એક અને જીવનની પાયાની જરૂરિયાત એટલે પાણી. વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વી ઉપર જયારથી ગુરુત્વાકર્ષણ રચાયું એ પછી સૌથી પહેલા પાણી ઉદભવ્યું. આપણે અત્યારે ભલે છૂટથી પાણીનો વપરાશ કરતા હોઈએ પણ એક વાત જરૂરથી જાણી લેજો કે સમગ્ર પૃથ્વી ઉપર વપરાશમાં લઈ શકાય એવુ પાણી 1 ટકા જેટલું જ છે જયારે બીજી તરફ 97 ટકા જેટલો જથ્થો ખારા પાણીનો છે, બાકીના 2 ટકા જેટલું પાણી ધ્રુવપ્રદેશમાં બરફ સ્વરૂપે છે. હવે આપણે કલ્પના જ કરવી રહી કે પાણી અને તેનો સંગ્રહ આપણા માટે કેટલો મહત્વનો છે. જો કે વાત જયારે જળસંચયની આવે છે ત્યારે એવુ નથી કે સરકાર કે લોકોના પ્રયત્નો નથી પરંતુ એકંદરે ગુજરાત હોય કે દેશ જળસંચયમાં હજુ આપણે જોઈએ એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી. હજુ પણ એ સ્થિતિ નકારી ન શકાય કે સરકારે ટપક સિંચાઈ અને ફૂવારા પદ્ધતિ માટે વારંવાર કહેવું પડે. આ તમામ ઘટનાઓની વચ્ચે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે મહત્વનું પ્રણ લીધું. તેમનું કહેવું હતું કે જ્યાં સુધી પોતાના વિસ્તારમાં જળસંચય માટે પૂરતી વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેઓ કોઈ જાહેર મંચ ઉપર સન્માનનો સ્વીકાર કરશે નહીં. ધારાસભ્યએ ભલે ગંભીર સંકેત આપ્યો પરંતુ આ વાત સરકાર અને જનસામાન્ય દરેકે સમજવા જેવી છે. જો આજે પાણી ન બચાવ્યું તો આવતીકાલે કદાચ આપણે પણ નહીં બચી શકીએ તે સાદી પણ કડવી હકીકત સમજવી જ રહી. જો કે જળસંચયના પ્રણ ગણ્યા ગાંઠ્યા નેતાઓ જ લે તે કેમ ચાલે, જળસંચયના સરકાર દ્વારા થતા પ્રયત્ન કેટલા કારગર નિવડ્યા.
વર્તમાન સમયની તાતી જરૂરિયાત
જળસંચય વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે તેમજ ગુજરાતમાં જળસંચયના ક્ષેત્રે કામગીરી થઈ રહી છે અને જળસંચયમાં અગત્યનો પ્રશ્ન જનભાગીદારીનો છે. જનભાગીદારી વગર જળસંચય કેટલું શક્ય બને તે મહત્વનો સવાલ છે અને ઉનાળો આકરો થશે એમ પાણીની જરૂરિયાત વધશે તેમજ નદી-તળાવ ઊંડા કરવા, કૂવા રિચાર્જ કરવાની કામગીરી વેગ પકડે એ જરૂરી છે. જળસંચયના સરકાર દ્વારા પ્રયત્નો કેટલા કારગર નિવડ્યા તેની ચર્ચા જરૂરી છે. નેતાઓ પણ આ મુદ્દે વધુ પ્રયાસ કરે એ જરૂરી છે.
દિયોદરના ધારાસભ્યએ શું કહ્યું?
કેશાજી ચૌહાણે ઉત્તર ગુજરાતમાં જળસ્ત્રોતની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો છે. કેશાજી ચૌહાણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં જળસ્ત્રોત ઊંડા થઈ રહ્યા છે હવે ઉત્તર ગુજરાતમાં 11% જેટલો જ જળસ્ત્રોત બાકી છે. કેશાજી ચૌહાણે દિયોદરમાં જળસ્ત્રોતના પ્રશ્નને હલ કરવા તાકિદ કરી છે. જળસ્ત્રોતનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કોઈ જાહેર સન્માન ન સ્વીકારવા પ્રણ લીધા છે.
તળાવ ઊંડા કરવાથી શું ફાયદા થાય?
તળાવની આજુબાજુના વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. સિંચાઈના વિસ્તારમાં વધારો થાય છે. સારો વરસાદ થાય તો લાંબા સમય સુધી સિંચાઈ માટે પાણી મળી રહે તે જરૂરી છે. જળસંચયથી ખરીફ પાકને જીવતદાન મળી શકે છે. પશુધનને ચોમાસા સિવાયની ઋતુમાં પણ પીવાનું પાણી મળી રહેશે અને તળાવમાંથી નિકળતી માટીથી નીચાણવાળા વિસ્તારમાં પુરાણ થઈ શકે તેમજ તળાવની માટીથી તળાવના પાળા મજબૂત કરવાની કામગીરી પણ થઈ શકે છે.
ગુજરાતમાં વરસાદની સ્થિતિ સમજો
ગુજરાતમાં વરસાદની દ્રષ્ટિએ ચાર ઝોન પાડવામાં આવ્યા છે જેમાં ગુજરાતના ચારેય ઝોનના વરસાદ અને જળસંચય અલગ-અલગ છે. જળસંચયની સામે પાણીના વપરાશની ખાધ બહુ મોટી છે અને ગુજરાતમાં કુલ વરસાદી દિવસોની સંખ્યા બે મહિનાથી પણ ઓછી છે તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાત સૌથી વધુ વરસાદી દિવસ ધરાવે છે. સૌથી ઓછા વરસાદી દિવસ કચ્છ ધરાવે છે
કયા ઝોનમાં કેટલા વરસાદી દિવસ?
દક્ષિણ-મધ્ય ગુજરાત
વરસાદી દિવસ | 51 |
સરેરાશ વરસાદ | 57 ઈંચ |
ઉત્તર ગુજરાત
વરસાદી દિવસ | 31 |
સરેરાશ વરસાદ | 32 ઈંચ |
સૌરાષ્ટ્ર
વરસાદી દિવસ | 27 |
સરેરાશ વરસાદ | 23 ઈંચ |
કચ્છ
વરસાદી દિવસ | 15 |
સરેરાશ વરસાદ | 13 ઈંચ |
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir