બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Want a job promotion So just keep it on the office desk, t you will get success

વાસ્તુશાસ્ત્ર / નોકરીમાં જોઇએ છે પ્રમોશન? તો બસ ઓફિસના ડેસ્ક પર મૂકી રાખો આ એક ચમત્કારીક ચીજ, મળશે સફળતા

Megha

Last Updated: 11:08 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓફિસમાં ઈમાનદારીથી કામ કરો છો અને છતાં પણ તમને પ્રમોશન નથી મળતું તો તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ઉપાયો અપનાવીને પ્રમોશન મેળવી શકો છો.

  • નોકરીમાં  ઈમાનદારીથી કામ કર્યા પછી પણ પ્રમોશન નથી મળતું?
  • વાસ્તુશાસ્ત્રમાં પ્રમોશન મેળવવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે 
  • આ માટે તમારા ઓફિસ ટેબલ પર કેટલીક વસ્તુઓ રાખવી પડશે

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે સારી નોકરી હોય અને સમયાંતરે એ નોકરીમાં તેનું પ્રમોશન થાય. જો તમે તમારી ઓફિસમાં ઈમાનદારીથી કામ કરો છો અને છતાં પણ તમને પ્રમોશન નથી મળતું તો તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ઉપાયો અપનાવીને પ્રમોશન મેળવી શકો છો. આ માટે તમારે તમારા ટેબલ પર કેટલીક વસ્તુઓ રાખવી પડશે. શું છે તે વસ્તુઓ, ચાલો જાણીએ.. 

ટેબલ પર લકી ક્રસુલાનો છોડ રાખો- 
વાસ્તુશાસ્ત્ર મુજબ જે રીતે ઘરનું વાતાવરણ સકારાત્મક અને ખુશનુમા રાખવું જરૂરી છે, તેવી જ રીતે ઓફિસ માટે પણ સકારાત્મક ઉર્જા એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. આ માટે તમે તમારા ડેસ્ક પર ક્રેસુલા પ્લાન્ટ રાખી શકો છો. આ છોડને પ્રગતિ માટે પણ શુભ માનવામાં આવે છે. 

વાંસનો છોડ - 
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઓફિસના ટેબલ પર વાંસનો છોડ રાખો છો તો તમારું ભાગ્ય ચમકશે અને તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જો કોઈ વ્યક્તિ દ્વારા વાંસનો છોડ ભેટમાં આપવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે.

ટેબલ પર પૂરતો પ્રકાશ હોવો જરૂરી - 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ટેબલ પર પૂરતો પ્રકાશ હોય તેનું ખાસ ધ્યાન રાખો કારણ કે જો તમારા ટેબલને અંધારામાં રાખવામાં આવે તો તે તમારા વિસ્તારમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધારી શકે છે અને તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

સોનાના સિક્કાઓથી ભરેલું જહાજ- 
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારું પ્રમોશન લાંબા સમયથી અટકેલું છે અને તમે ઇન્ક્રીમેન્ટની સાથે પ્રમોશન મેળવવા માંગો છો તો તેના માટે તમે તમારા ટેબલ પર સોનાના સિક્કાઓથી ભરેલું શિપ એટલે કે જહાજ રાખી શકો છો. આનાથી તમને પ્રમોશન તો મળશે જ પરંતુ તેનાથી તમારો પગાર પણ વધશે. 

સૂકા ફૂલ અને છોડ ન રાખો - 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ટેબલ પર સુકાઈ ગયેલા ફૂલ કે છોડ હોય તો તેને તરત જ કાઢી નાખો. આ સુકાઈ ગયેલા ફૂલો અને છોડ તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. જો તમે તમારા ટેબલ પર ફૂલો રાખવા માંગતા હો, તો તેને પાણીમાં રાખો અને તે સુકાઈ જાય તે પહેલાં તેને બદલો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ